Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૧]
[૩૭૭ આમ સંવર, નિર્જરા, મોક્ષ-ત્રણે આત્માના આશ્રયે થાય છે. મિથ્યાત્વ, વ્રત, પ્રમાદ, કષાય, યોગ-એમ પાંચ આસ્રવ છે, તેમાં મુખ્ય મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ટળ્યા વિના અવ્રત ને પ્રમાદ ટળતા નથી. આત્માની પ્રતીતિ ને લીનતા કરવાથી મિથ્યાત્વ ને રાગદ્વેષ ટળે છે. ભેદજ્ઞાન કરવાથી સંવર, નિર્જરા ને કેવળજ્ઞાન થાય છે. ભાવમોક્ષ થતાં કર્મો છૂટી જાય છે, તે દ્રવ્યમોક્ષ છે.
શરીર, કર્મ આદિ પર પદાર્થોથી જુદો છું એવા ભેદજ્ઞાનથી સિદ્ધિ થાય છે.
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે ને જે બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવે જ બંધાયા છે.
અજ્ઞાની નિમિત્ત ઉપર વજન આપે છે. નિમિત્તને લીધે વિલક્ષણતા માને છે તે જીવને નિમિત્તથી ભેદજ્ઞાન નથી, તો પછી વિકારથી ભેદજ્ઞાન ક્યાંથી થાય? માટે ભેદજ્ઞાન કરવું જરૂરી છે. ભેદજ્ઞાનના અભ્યાસથી પરમપદ-સિદ્ધપદ થાય છે, તે ભેદજ્ઞાન ઊપજવાનો વિચાર કહીએ છીએઃ
જ્ઞાનભાવ પોતાનો છે પણ દયા-દાનાદિના રાગને પોતાના માને તે મિથ્યાભ્રાંતિ છે. જ્ઞાનને પોતાનું હિતરૂપ કાર્ય ન માને તે સંસાર છે. પુણ્ય-પાપથી લાભ માને તે પુણ્ય-પાપને પોતાના માન્યા વિના રહે નહિ. બાહ્યમાં કરવા-ન કરવાની વાત નથી પણ પરિણામની વાત છે. હું દયા પાળું, જાત્રા કરું, વિનય કરું એવી વૃત્તિને વિભાવ કહે છે. તે જ હું છું-એમ માને છે તે સંસાર છે.
ધર્મી દયા–દાનાદિને જાણે છે. ભેદજ્ઞાન દ્વારા વિકારને હેય જ જાણે છે. કોઈ પણ વિભાવને પોતાનો ન માને પણ વિભાવને જાણવાની શક્તિને પોતાની માને. હું જાણનાર છું, મારા જાણવાના સ્વભાવથી વિકારને જાણું, –આમ જાણવારૂપ પરિણમન કરે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com