Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૧૦, સોમ ૯-૨-૫૩
પ્ર. -૨૪
ધર્મ, અર્થ, કામ ને મોક્ષની વ્યાખ્યા કરે છે.
(૨) પાંચ ઇન્દ્રિયોના વિષયથી શું કામ છે? પોતે સચ્ચિદાનંદ પ્રભુ છે એવી શુદ્ધિની ભાવનાથી કામને સુધારે. પર પદાર્થથી આત્મામાં સુધારો થતો નથી, કોઈ પદાર્થ કોઈને સુધારતો નથી. હું ચિદાનંદ છું, અધિકારી છું-એવી અંતર્ભાવના કરવી તે કામ છે, એ જ ધર્મ ને મોક્ષમાર્ગ છે.
(૩) ધર્મ- સર્વજ્ઞની વાણીમાં સર્વ પદાર્થોની સ્વતંત્રતાની વાત આવી છે, તેથી વિરુદ્ધ કહે તે મિથ્યાત્વ છે. શુભથી ધર્મ મનાવે તે મિથ્યાત્વ છે. આત્મા સાક્ષી સ્વરૂપ છે, એની શ્રદ્ધા ને લીનતાથી ધર્મ થાય છે. તેને બદલે વિકારથી ધર્મ મનાવે તે અધર્મ છે. પરથી દયાથી અથવા પરની સેવાથી પરમાર્થરૂપ ધર્મ માને તે મિથ્યાધર્મ છે. પરની સેવા કરી શકું છું એ મિથ્યાભાવ છે. મિથ્યાદર્શન-જ્ઞાનચારિત્ર બંધનું કારણ છે. પરની પર્યાય પોતાને આધીન નથી, પરનાં જીવન-મરણ તે તે જીવને આધીન છે, પણ પરની અવસ્થા મારાથી થઈ ને મારી અવસ્થા પરથી થઈ એમ માને છે તે મિથ્યાષ્ટિ છે. આત્માના આશ્રયે થતી અધિકારી દશા તે ધર્મ છે, બહારથી ધર્મ આવતો નથી. પરના આશીર્વાદથી ધર્મ થાય એમ અજ્ઞાની માને છે. પરની અવસ્થા છે તે પદાર્થથી પલટે છે, આ જીવથી તે પલટતી નથી. દરેક પદાર્થમાં નવી પર્યાયનો ઉત્પાદ, જૂની પર્યાયનો વ્યય ને ગુણોનું ધ્રુવપણું રહેલું છે-આમ સમજવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com