Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 405
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪] [શ્રી અનુભવ પ્રકાશ ૪. અંતસ્વભાવ સર્વજ્ઞતાથી ભરેલો છે, તેમાંથી સર્વજ્ઞતા પ્રગટે છે. આ સિવાય અન્ય કહે તે સર્વજ્ઞથી વિરુદ્ધ છે. પ્રશ્ન- કોઈ કોઈનો ઉપકાર કરતો નથી તો પછી સર્વજ્ઞથી શો ફાયદો? સમાધાનઃ- જેના ઉપાદાનની યોગ્યતા હોય તેને વાણી નિમિત્ત કહેવાય. નિયમ એક જ હોવો જોઈએ. જો ભગવાનની વાણીથી લાભ હોય તો સમવસરણમાં બધાને ધર્મ થવો જોઈએ પણ બધા ધર્મ સમજતા નથી. જે ઉપાદાન પોતે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન ને લીનતા પ્રગટ કરે છે તેને પાણી નિમિત્ત કહેવાય છે. ઉપાદાન વિના નિમિત્ત કોનું? નૈમિત્તિક પર્યાય પ્રગટ કરે છે તે વખતે જે તેને અનુકૂળ પદાર્થ ઉપસ્થિત છે તેના પર નિમિત્તનો આરોપ આવે છે. વાણીથી લાભ હોય તો બધા શ્રવણ કરનારને સરખો લાભ થવો જોઈએ. સર્વજ્ઞની વાણીમાં અખંડ ધારા આવે છે તે બાર અંગનું રહસ્ય લેતી આવે છે. જો વાણીથી જ્ઞાન હોય તો બધાને બાર અંગનું જ્ઞાન થવું જોઈએ-પણ એમ બનતું નથી. જેવું કાર્ય થાય છે તેવો તે નિમિત્ત ઉપર આરોપ આવે છે. સભાના જીવોને પોતાની યોગ્યતા મુજબ જ્ઞાનની વિશેષ દશા થાય છે. પોતે સામાન્ય ઉપર દષ્ટિ કરે તો જ્ઞાનનું વિશેષ પરિણમન થાય. ભગવાન ઉપરનું પણ લક્ષ છોડે તો સમ્યગ્દર્શન થાય છે. પ્રથમ ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ આવે છે પણ વિકલ્પ છોડી અંતરમાં અનુભવ કરવો તે ધર્મ છે. સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરુ ને અનેકાંત બતાવનારી યથાર્થ વાણીને પ્રથમ માનવાં જોઈએ. વિકાર વિકારથી છે ને ધર્મથી નથી. ઉપાદાન ઉપાદાનથી છે ને નિમિત્તથી નથી–એમ અનેકાંત ધર્મ વસ્તુમાં નક્કી કરવો જોઈએ. પ્રથમ તો જ્ઞાની પાસે રુચિપૂર્વક વાત સાંભળવી જોઈએ. સાંભળતી વખતે જે શુભ રાગ થાય છે તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427