Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૩]
[૩૯૧ હવે અર્થ, કામ, ધર્મ ને મોક્ષની વાત કરે છે.
(૧) અર્થ એટલે લક્ષ્મી. ધર્મી જીવને લક્ષ્મી અર્થરૂપ ભાસતી નથી પણ તેને અનંત અનર્થનું નિમિત્તકારણ માને છે, માટે લક્ષ્મી કાંઈ પણ કામની નથી. લક્ષ્મીથી સુખ મળશે તેમ મિથ્યાદષ્ટિ માને છે. આત્માના સ્વભાવની ઋદ્ધિની રુચિ થઈ છે તે વિચારે છે કે પૈસા અનર્થનું નિમિત્ત છે, તેનું કાંઈ પ્રયોજન નથી. પૈસાથી નિવૃત્તિ મળતી નથી પણ પૈસા ઉપરની વૃત્તિ અનર્થનું કારણ છે. ધર્મી જીવ પુષ્ય ને પુણ્યના ફળમાં પ્રીતિ કરતો નથી, અમે તો શુદ્ધ આનંદસ્વરૂપ છીએ એમ તે માને છે. બીજા આત્મા પોતાની અપેક્ષાએ અનાત્મા છે, સિદ્ધ પણ પોતાની અપેક્ષાએ અનાત્મા છે. બધા સંયોગો પર છે, જેટલો રાગ થાય છે તે નુકશાન છે, સ્વભાવમાં લીન થવું તે કલ્યાણકારી છે.
ધર્મી જીવ વિચારે છે કે લક્ષ્મી અનર્થનું કારણ છે. અર્થ તો મારી ચૈતન્યલક્ષ્મી છે. પરમાર્થને સાધે તે મારી લક્ષ્મી છે. નિર્ધનતા અવગુણ નથી, સધનતા ગુણ નથી. નિર્ધનતા કે સધનતા પાપ-પુણ્યના ખેલ છે, પરમાર્થને સાધે એવો આત્મા ખરેખર અર્થ છે. આ અર્થપુરુષાર્થની વાત કરી.
(૨) હવે કામની વાત કરે છે. ઇન્દ્રિયોના વિષયોની કામનાથી શું કામ? ચિદાનંદ આત્માનું કાર્ય કરવું તે ખરું કામ છે. હું અનાકુળ શાંતસ્વરૂપ છું એ જ મારું કામ છે, એ જ મારું ધ્યેય છે, તે જ ભલા કાર્યને સુધારે, તે નિજ ભાવના છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com