Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 401
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦] [શ્રી અનુભવ પ્રકાશ ભેદજ્ઞાન સહિત રાગ નથી તેને કેવળ શરીર, ધન વગેરેનો રાગ છે જે કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે. રાગ ખરેખર કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ નથી પણ રાગ સાથે રહેલી ઊંધી શ્રદ્ધા કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે. ધર્મી જીવને બૈરાં-છોકરાં કરતાં વિશેષ અનુરાગ પંચપરમેષ્ઠી ઉપર આવ્યા વિના રહેતો નથી. કોઈ કુદેવાદિની શ્રદ્ધા છોડીને સુદેવાદિની શ્રદ્ધા કરે, પણ જો સ્વભાવની શ્રદ્ધા ન કરે તો તેણે નિમિત્ત પલટયું એમ પણ ખરેખર કહેવાતું નથી. નિમિત્ત, સંયોગ અને રાગની રુચિ છૂટી છે ને સ્વભાવની રુચિ થઈ છે એવા ધર્મી જીવને ઉપાદાન પલટી ગયું છે તેથી ખરેખર તેને નિમિત્ત પલટી ગયું એમ કહેવાય છે. સ્વભાવની પ્રીતિ નથી એવા મિથ્યાદષ્ટિ જીવને કુટુંબાદિ પ્રત્યેનો અશુભ રાગ ચૈતન્યસૂર્યને હીણો કરી દેશે. મિથ્યાબુદ્ધિ જ ચૈતન્યસૂર્યના અસ્તપણાનું કારણ છે, તેથી તેના અશુભ રાગને ચૈતન્યસૂર્યના અસ્તપણાનું કારણ કહેવાય છે. જેને આત્માની શ્રદ્ધા થઈ હોય તેને પંચ પરમેષ્ઠી પ્રત્યે શુભ રાગ આવ્યા વિના રહે નહિ. જેને સ્વભાવનું ભાન નથી એવા મિથ્યાષ્ટિનો અશુભરાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે. ધર્માજીવને પંચ પરમગુરુ પ્રત્યે રાગ આવે છે. અશુભ રાગ ઘટી ગયો છે ને શુભ રાગ આવે છે, તે શુભ રાગનો પણ અભાવ કરીને વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટાવશે. અધૂરી દશામાં શુભ રાગ આવે તે જુદી વાત છે, પણ શુભ રાગથી ધર્મ માને તે મિથ્યાષ્ટિ છે. ધર્મી જીવ દષ્ટિમાં શુભ રાગને પણ હેય માને ને છે જ્ઞાનાનંદસ્વભાવને ઉપાદેય માને છે, તેથી તેમાં લીનતા થતાં રાગનો અભાવ થઈ કેવળજ્ઞાનસૂર્ય ઊગશે. જેને આત્માના સ્વભાવનો આદર છે તેને રાગનો જરાય આદર નથી, તેથી ધર્માત્માના પંચ પરમગુરુ પ્રત્યેના શુભ રાગને કેવળજ્ઞાનના ઉદયનું કારણ કહેલ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427