Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 386
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૧] [૩૭૫ નથી પણ પુણ્ય છે, ધર્મ તો સ્વાશ્રયરૂપ નિર્વિકલ્પ વીતરાગપરિણતિ છે. અજ્ઞાની જીવ પુણ્યથી ધર્મ માની હરખ માને છે અને પુણ્યથી મોટો લાભ માને છે ને સંતુષ્ટ થાય છે પણ તે બધો ભ્રમભાવ છે. સ્વપર ભેદવિજ્ઞાન કરવું તે ધર્મ છે. તેનો નિરંતર અભ્યાસ કરવો. હું જ્ઞાનસ્વરૂપ છું એવી પ્રાપ્તિ અનુભવમાં થાય. શરીર જડ છે, શરીરની અવસ્થા શરીરને આધીન છે, આત્મા તેનો કર્તા નથી. જે જીવ નિમિત્તથી લાભ અથવા પ્રભાવ માને અથવા કર્મના ઉદયથી પોતામાં વિકાર માને તેને પરથી અથવા કર્મથી ભેદજ્ઞાન કરવાની તાકાત નથી, તેનામાં વિકારથી ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. ભગવાન સાક્ષાત્ હોય કે પ્રતિમા હોય, સમેદશિખર હોય કે શેત્રુંજય હોય-બધા પર છે, તેનાથી ધર્મ નથી. કષાયમંદતા કરે તો પુણ્ય થાય, પરથી પુણ્ય પણ નથી. નિમિત્તથી લાભ-નુકશાન નથી. રાગથી લાભ નથી. પોતે જ્ઞાનસ્વભાવી છે-એમ નિરંતર અભ્યાસ કરવો. રાગથી પર્યાયમાં નુકશાન થાય છે પણ રાગથી ત્રિકાળી સ્વભાવમાં લાભનુકશાન નથી. સંસારનો ઔદયિકભાવ પારિણામિકભાવમાં પેસી જતો નથી. શ્રી નિયમસારમાં ચાર ભાવો-ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિકને આવરણવાળા કહ્યા, વિભાવકહ્યા ને પરિહાર કરવા યોગ્ય કહ્યા. ચારે ભાવો દ્વારા આત્મા જાણી શકાય એવો નથી. ચારે ભાવો પર્યાયો છે. તેનો આશ્રય લેવાથી આત્મા ગમ્ય થતો નથી. પર્યાય ભેદરૂપ છે, તેથી ભેદનું લક્ષ છોડાવવા અભેદનું લક્ષ કરાવવા એમ કહ્યું છે. ભેદના લક્ષથી વિકલ્પ ઊઠે છે. - સાધક જીવને પૂર્ણ ક્ષાયિકભાવ પ્રગટ નથી. જે નથી તેનો વિચાર કરવાથી વિકલ્પ ઊઠે છે, માટે તે પરિહાર કરવા યોગ્ય છે-એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427