Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૬, ગુરુ ૫-૨-૫૩
પ્ર. -૬૧
જેને ધર્મ કરવો હોય ને શાંતિ જોઈતી હોય તેણે આત્માની પ્રતીતિ કરવી જોઈએ. આત્માના આનંદનો અનુભવ થવો તેને અનુભવપ્રકાશ કહે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે-તેની પ્રતીતિ કરી આનંદ લેવો તેને ધર્મ કહે છે.
પ્રથમ શું કરવું? શ્રી જિનેંદ્રદેવની આજ્ઞાની પ્રતીતિ કરો. કુવાદિને માનવા તે નિંદ્રદેવની આજ્ઞા નથી. જેમાં સાચા દેવગુરુ-શાસ્ત્રનું, નવ તત્ત્વાદિનું યથાર્થ વર્ણન હોય તે યથાર્થ શાસ્ત્ર છે. સર્વજ્ઞભગવાનપ્રણીત તત્ત્વ વિચારે, જિનંદ્રદેવના ઉપદેશ મુજબ ગુરુ ઉપદેશ આપે છે ને તે ઉપદેશ બરાબર સાંભળે. ભગવાને કયા તત્ત્વો ગ્રહણ કરવા યોગ્ય કહ્યા છે? ચેતનપ્રકાશ અનંત સુખધામ છે, દેહ જડ છે, પુણ્ય-પાપભાવ હેય છે, ભગવાન આત્મામાં જ્ઞાનપ્રકાશ છે, તે અનંતસુખનું ધામ છે. ભગવાન આત્મા મળરહિત છે. ત્રિકાળ દ્રવ્ય એક સમયના સંસારથી રહિત છે, તે જ શાંતિનું કારણ છે. આવો ચિદઘન આત્મારામ ઉપાદેય છે. નિમિત્ત અને વિકાર રહિત આત્મા ઉપાદેય છે. અહીં તો વિકારને પણ સ્વભાવની અપેક્ષાએ પર કહેલ છે. જેને શાંતિ જોઈતી હોય તેણે પોતાના ચિદાનંદ આત્માને માનવો જોઈએ. આત્મા પર પદાર્થોથી ને રાગાદિથી રહિત છે. શરીર, કર્મ આદિ આત્મામાં નથી તો પછી શરીર, કર્મ આત્માને શું કરે? વળી પર્યાયમાં થતા શુભાશુભ પરિણામ તે વિકાર છે માટે હેય છે ને શુદ્ધ આત્મા ઉપાદેય છે, હું શુદ્ધ ચિદાનંદ છું એમ ભેદજ્ઞાન કરવું. આમ ભેદજ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય તે સમ્યગ્દર્શન છે. ક્રિયાકાંડ, દાન, પૂજા, ભક્તિ ધર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com