Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦]
[ શ્રી અનુભવ પ્રકાશ છે તે વિકાર છે. ભગવાનના દર્શનનો વિકલ્પ તે શુભભાવ છે અને સ્ત્રીને જોવાનો ભાવ તે અશુભભાવ છે–એ બન્ને વિકાર છે. નિમિત્તથી તે શુભાશુભભાવ થાય છે એમ જેણે માન્યું એને તો નિમિત્તનો પરિગ્રહ છૂટયો નથી, એટલે એને વિકારની પક્કડ પણ છૂટી નથી.
- સાચા દેવાદિની શ્રદ્ધા તથા પંચમહાવ્રતાદિનો વિકલ્પ છે તે મનનો વિકાર છે. જેને આત્માના આશ્રયે શુદ્ધ પરિણતિ પ્રગટી છે, અનાકુળ શાંતરસરૂપ સમાધિ પ્રગટી છે તેને મનનો વિકાર હોતો નથી. આ જ ધર્મ છે અને એ જ મોક્ષમાર્ગ છે.
જેને આત્મા શાંત સમાધિરૂપ છે એની ખબર નથી તેને પુણી રુચિ છૂટતી નથી. પર્યાયમાં દાનનો શુભવિકલ્પ થાય છે તે પણ મનવિકાર છે. પહેલાં નિમિત્તનું બળ જેણે માન્યું તેને તો નિમિત્તની પક્કડ છે અને જેણે વ્યવહારથી ધર્મ માન્યો છે તેને વિકારનો પરિગ્રહ છૂટતો નથી-એમ બે વાત કરી છે.
આત્માની શાંતિ કોઈ લૂંટી ગયું નથી, તેમ જ તે પરમાં ભરી નથી. આત્મા પોતે શાંતિરૂપ છે એનું જ્ઞાન રુચિ કરવાથી થાય છે. જેણે નિમિત્તથી ધર્મ-શાંતિ માની છે એને નિમિત્તબુદ્ધિ છૂટતી નથી. પરનાં કારણે આત્મામાં કાંઈ લાભ-નુકશાન થતું નથી અને આત્માના વિકલ્પના કારણે પરમાં કાંઈ થતું નથી એમ જાણવું જોઈએ. મારી ચીજ તો મારી પાસે છે, પરની સાથે તો મારે કોઈ સંબંધ નથી પણ મારી પર્યાયમાં વિકાર થાય છે તેટલો માત્ર હું નથી. એમ અંતર્દષ્ટિ થતાં સમાધિ જાગે છે.
આત્મામાં તે આનંદસ્વાદ આવ્યો અને મોક્ષમાર્ગ કહે છે. હવે તે આનંદ થવા પહેલાં કેવો વિકલ્પ હોય છે એ કહે છે. હું આનંદ છું, હું બ્રહ્મસ્વરૂપ છું-એવો વિચાર કેટલોક કાળ સુધી રહે છે. પછી સમાધિમાં અહંપણું તો છૂટે છે મરિમ કહીએ એવો ભાવ ત્યાં રહે છે. ત્યાં દર્શનજ્ઞાનમય છું, હું સમાધિમાં લાગું છું. એમ જ રહેવું એ વિચાર હોય છે. હું જ્ઞાતાદ્રષ્ટા છું એવો વિકલ્પ થવો તે પણ શુભરાગ છે. એનો અભાવ થવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com