Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updafes
૨૫૬]
[ શ્રી અનુભવ પ્રકાશ
હું ભવ્ય! તું એક બીજી વાત સાંભળ! આ સ્વાનુભવદશા તે સ્વસમયરૂપ સુખ છે, તે શાંતિ-વિશ્રામરૂપ છે, તે સ્થિરૂપ છે, તેમાં નિજ કલ્યાણ છે, તેમાં ચેન અને તૃપ્તિ છે, તેમાં સમભાવ છે, તે જ મુખ્ય મોક્ષપંથ છે. આ સિવાય વિકલ્પ અને રાગ તે પરસમય છે, તે અવિશ્રામભાવ છે, તે અસ્થિરરૂપ છે, તેમાં કલ્યાણ નથી.
શ્રી સમયસારની ૨૦૬ મી ગાથામાં પણ કહ્યું છે કેઃઆમાં સદા પ્રીતિવૃંતબન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬.
“ એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે – એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય તિ પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું સ્વયમેવ દેખશે, બીજાઓને ન
,,
પૂછ.
(
નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ અને વિકલ્પ-તે બન્નેની વાત કરવી છે તેથી અહીં એમ કહ્યું કે “તને બીજી એક વાત કહું છું.” આત્માની નિર્વિકલ્પ અનુભવદશાની તો વાત કરી; પણ વચ્ચે સમ્યક્ સવિકલ્પદશામાં જ્ઞાન-દર્શન તો નિર્મળ હોવા છતાં અસ્થિરતાથી રાગ અને વિકલ્પ આવે છે. તે પરાવલંબી, અશુદ્ધ અને ચંચળ છે. ચૈતન્યના અનુભવમાંથી ખસીને ભક્તિ વગેરેનો રાગ થાય તે પણ મોક્ષનો પંથ નથી, પણ સમ્યગ્દષ્ટિને તે વખતે અંત૨માં શ્રદ્ધા-જ્ઞાન શુદ્ધ છે, તે મોક્ષનો પંથ છે. રાગ તો પરાવલંબી-અશુદ્ધ-મેલો-ચંચળ-૫૨ સમયરૂપ અને દુ:ખ છે, તે મોક્ષનો રાહ નથી. નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા થયાં તે તો સ્વસમય સુખરૂપ ભાવ છે અને વચ્ચે રાગ વિકલ્પ થાય તે ચંચળતા પરસમય છે, દુઃખ છે. પૂર્ણ સ્વાવલંબી ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com