Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૫, સોમ ૧૯-૧-૫૩
પ્ર. -૪૪
આત્માનો આનંદસ્વભાવ ત્રિકાળ ધૃવરૂપ છે. તેની દષ્ટિ કરીને તેમાં લીનતા કરવી તે અનુભવ છે અને તે મોક્ષનો માર્ગ છે. આત્મા શુદ્ધ ચિદાનંદમૂર્તિ છે, તેની રુચિ કરીને અને રાગની વ્યવહારની રુચિ છોડીને જે ક્ષણે આત્માના આનંદનો અનુભવ થાય તે નિશ્ચયરત્નત્રય છે. વચ્ચે શુભરાગ આવતાં ભગવાનની પ્રતિમાનું બહુમાન-ભક્તિ આવે છે. કેમ? - કે અસંવેદનરૂપ વીતરાગમુદ્રા દેખી પોતે પોતાના સ્વસંવેદનભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે. મારો આત્મા રાગથી કે પરથી અનુભવમાં આવે તેવો નથી, પણ જ્ઞાનથી જ સ્વસંવેદનમાં આવે તેવો છે -એવા ભાન સહિત ભગવાનની વીતરાગમુદ્રા દેખીને પોતે તેનો વિચાર કરે છે. અહો ! આ સ્વસંવેદન વડે રાગ ટાળીને ભગવાન શિબિંબ-જિનબિંબ અક્રિય વીતરાગ થયા, મારું સ્વરૂપ પણ તેવું જ ચિબિંબ-જિનબિંબ છે. વીતરાગ ભગવાન થયા તેઓ પણ પૂર્વે રાગવાળા હતા, ને સ્વરૂપમાં લીનતા વડે તે રાગ ટાળીને વીતરાગ થયા. સર્વજ્ઞો થયા તેઓ પણ પૂર્વે અજ્ઞાની અને રાગી હતા. પછી ભાન કરીને આત્માના સ્વસંવેદનથી તે રાગ ટાળીને વીતરાગ સર્વજ્ઞ થાય. તેમ હું વર્તમાનમાં સરાગ છું, પણ રાગ મારું સ્વરૂપ નથી, મારા સ્વરૂપના સંવેદન વડે તે રાગને મટાડીને હું વીતરાગ થઈશ. વ્યવહારરત્નત્રયનો ભાવ તે રાગ છે, ચિદાનંદ સ્વરૂપમાં લીનતા વડે સર્વ રોગ મટતાં હું મારા વીતરાગપદને પામું. વીતરાગતા તે કોઈ બહારની ચીજ નથી પણ મારું પોતાનું પદ છે. જેને આવું ભાન હોય તે જીવને પ્રતિમામાં સ્થાપનાનું યથાર્થ ભાન હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com