Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૦]
[ શ્રી અનુભવ પ્રકાશ વીતરાગસ્વભાવ જ્ઞાયક અખંડ છે તેને દ્રવે તો દ્રવ્ય કહેવાય છે. પર્યાયબુદ્ધિ છોડીને-શરીરાદિની બુદ્ધિ છોડીને, અખંડ દ્રવ્યની જેને પ્રતીતિ થઈ છે તેનું દ્રવ્ય સ્વભાવને દ્રવે છે. આ સિવાય કયાંય ધર્મ નથી. પૈસાથી, શરીરથી તો ધર્મ નથી કેમકે તે તો પર છે, પણ આત્મામાં દાનાદિના શુભ પરિણામ થાય એનાથી પણ ધર્મ નથી. અહીં તો કહે છે કે રાગ અને પરની બુદ્ધિ છોડીને હું તો શુદ્ધ જ્ઞાયકમૂર્તિ છું—એની દૃષ્ટિ કરી પર્યાયમાં વીતરાગીભાવરૂપ પરિણમે તે દ્રવ્ય છે, કેમકે દ્રવ્ય પોતાની શક્તિથી ગુણને દ્રવે છે. દ્રવ્ય અને ગુણ બન્નેમાં દ્રવવાનું લક્ષણ છે. જેવો સિદ્ધમાં આનંદ છે એવો એક અંશે આત્મામાં આનંદ પ્રગટ થવો તે દ્રવ્ય-ગુણમાં અભેદ પરિણામ થતાં થાય છે. એવી એકદેશ સાધકદશા પ્રગટ થતાં પરિષહનું વેદન એને હોતું નથી.
લોકો ધર્મ ધર્મ પોકારે છે પણ ધર્મ કયાં અને કેવી રીતે હોય છે એની ખબર નથી. ધર્મ પહાડમાં, પૈસામાં કે શરીરની ક્રિયામાં કે આહારદાનમાં નથી. મંદ કષાયના પરિણામ કરે તો એમાં પણ મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી. આત્મા ગુણ દ્વારા શક્તિમાંથી દ્રવે છે. જેને આત્માની રુચિ પ્રગટ થઈને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણતિ થઈ તેને પરિષહુ અનેક પ્રકારના હોય તોપણ એની વેદના હોતી નથી.
જ્યારે આત્માનો અનુભવ છે ત્યારે બાહ્ય વેદનાનો અનુભવ હોતો નથી. આત્મા આનંદકંદ શુદ્ધ છે; એની રમણતા થતાં ગમે તેવા પરિષહુના ગંજ હોય પણ એનું વદન હોતું નથી. જેણે ચારિત્રને કષ્ટરૂપ માન્યું છે એ ચારિત્રના સ્વરૂપને સમજતો નથી, તે અજ્ઞાની છે, તે ચારિત્રને ગાળ દે છે, અવર્ણવાદ કરે છે. દેવ-ગુરુ-શાસ્ત્રનો અવર્ણવાદ કરે છે તે દર્શનમોહનીય બાંધે છે. ચારિત્રદશા જેને પ્રગટ થઈ હોય તેને પરિષહની વેદના હોતી નથી. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે, એની દષ્ટિપૂર્વક સંવર-નિર્જરા થાય છે. ચારિત્ર આનંદમય છે, છતાં એને કષ્ટરૂપ-દુઃખરૂપ માને છે તે મિથ્યાદષ્ટિ છે. જ્ઞાનીને જેટલી અંતર્સનુખદષ્ટિ થઈને પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com