Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૯]
[૩૬૭ નથી. ભગવાન આત્મા અનંત ગુણનો પુંજ છે, એની દષ્ટિ થવી તે સમ્યગ્દષ્ટિ છે. અજ્ઞાની પૈસાને દ્રવ્ય માને છે. એની દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થતું નથી. ગુણોના સમૂહુને દ્રવ્ય કહેલ છે. આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે, એને ભૂલીને પુણ્યથી ધર્મ માને તે જીવનો ઘાત કરે છે. તેને ધર્મ થતો નથી.
અનંત ગુણો અભેદ છે, એવી દષ્ટિ કરવી તે દ્રવ્યદૃષ્ટિ છે. એક વસ્તુ જેમ સોનું છે તેમાં પીળાશ-ચીકાશ-વજન આદિ અભેદ છે. પીળાશ જુદી રહે છે અને ચીકાશ જાદી રહે છે-એમ નથી; તેમ આત્મામાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો અભેદ છે, પણ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન અપેક્ષાએ ભેદ છે, પણ પ્રદેશભેદ નથી, વસ્તુ અભેદ છે.
વિતર્ક એટલે દ્રવ્યશબ્દના અર્થને ભાવવો. ભાવૠતમાં સ્વરૂપઅનુભવકરણ કહ્યું, વિતર્ક શ્રુત કહેવાય છે. શ્રુતજ્ઞાનમાં હું શુદ્ધ છું-એવા શબ્દનો વિકલ્પ ઊઠે છે તે દ્રવ્યદ્ભુત છે, કેમકે અહીં ગુણ-ગુણીભેદનો વિકલ્પ ઊઠે છે. દ્રવ્યશ્રત હોય છે પણ તેને અનુભવનું કરણ કહેલ નથી. બાહ્યશ્રુત તો નિમિત્ત છે, શ્રુતજ્ઞાનનો વિકલ્પ ઊઠયો એનાથી પણ આત્માનો અનુભવ થતો નથી પણ તે વિકલ્પથી રહિત શુદ્ધ ચિદાનંદની દષ્ટિ થઈ, અંતર-અવલંબનનું થયું તે ભાવથુત છે, તે અનુભવનું કારણ છે. ભાવકૃત પહેલાં દ્રવ્યશ્રત હોય છે ખરું, એને વ્યવહારથી શ્રુતજ્ઞાન કહેવાય છે.
જ્ઞાન તે આત્મા છે-એમ વિકલ્પ લક્ષમાં લે છે, માટે એને દ્રવ્યશ્રુત કહેવાય છે. ભાવકૃત આત્માનું અનુકરણ કરે છે, નિમિત્ત અને રાગનું અનુકરણ કરતું નથી. આ વાત સમજતાં અઘરી લાગે છે. સંસારમાં રુચિ હોય છે તેને સંસારની વાત અઘરી લાગતી નથી, તેમ જેને આત્માની રુચિ હોય એને આ વાત અઘરી લાગતી નથી. નિશ્ચયશ્રુતજ્ઞાન વિના વ્યવહારશ્રુતજ્ઞાન પણ કહેવાતું નથી. જ્ઞાનનો પર્યાય સ્વયમાં અભેદ થયો તે ભાવકૃત છે. અમરપદનું કારણ આવી સમાધિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com