Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮]
[શ્રી અનુભવ પ્રકાશ છૂટતાં જે ઇષ્ટ-અનિષ્ટપણાનું નિમિત્તપણે કલયું હતું તે મટી જાય છે ને રાગ-દ્વેષ મટી જાય છે.
બહાર એકાંતમાં જાઓ-એમ કહ્યું હોય, તો ત્યાં બહારનું એકાંત લાભ કરશે તેમ કહેવું નથી પણ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને લીતનારૂપી અંતર એકાંતતા પ્રગટે તે લાભનું કારણ છે ને તે વખતે એકાંત સંયોગ હોય તો સંયોગનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
જે જીવ સમાધિનો વાંચ્છક તે ઇષ્ટ–અનિષ્ટનો સમાગમ મટાડે છે–તે નિમિત્તનું કથન છે. ચરણાનુયોગના કથનમાં સામાયિકની વિધિમાં અમુક રીતે બેસવું વગેરે કથન આવે છે, ત્યાં આત્મા જડની ક્રિયા કરી શકે છે એમ કહેવું નથી પણ સામાયિક-કાળે તે પ્રકારના વિકલ્પ આવે છે તેનું જ્ઞાન કરાવેલ છે.
અહીં નિમિત્ત તરફનું લક્ષ છોડાવવા કહ્યું છે કે ઈષ્ટ-અનિષ્ટનો સમાગમ મટાડ. નિમિત્ત હટાવવાની વાત નથી ને નિમિત્તને મેળવવાની પણ વાત નથી. પોતે નિમિત્ત તરફનો ઉપયોગ હઠાવ્યો ત્યાં નિમિત્ત હુઠાવ્યું એમ કહે છે. તત્ત્વજ્ઞાનપૂર્વક પરનો ત્યાગ કરવો એનો અર્થ એ છે કે પર તરફનો આસકિત છૂટી એટલે રાગ છૂટયો. વળી જેને ઉદ્દિષ્ટ આહાર તરફનો રાગ છૂટયો નથી તેને ઉદ્દિષ્ટ આહાર છૂટયો નથી–એમ કહેવાય છે પણ તેથી પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગની વાત નથી.
વળી રાગ-દ્વેષ છોડવાની વાત પણ વ્યવહારથી છે. સ્વભાવમાં એકાગ્રતા થતાં વિકલ્પ છૂટી જાય છે ને નિમિત્તનું લક્ષ છૂટી જાય છે તેણે રાગ-દ્વેષ છોડયા કહેવાય છે. ચિંતાના લક્ષે ચિંતા છૂટતી નથી પણ સ્વભાવમાં એકાગ્ર થતાં ચિંતા ઉત્પન્ન થતી નથી.
પોતાના ધ્રુવ સ્વભાવમાં એકાગ્ર થઈને નિજાનંદને ભેટો એ મુક્તિનું કારણ છે. રાગદ્વેષના આશ્રયે વીતરાગતા થતી નથી, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી જ્ઞાનભાવ થાય છે ને સમાધિ ઊપજે છે તે વખતે વિકલ્પો છૂટી જાય છે. જડ મનને પોતામાં લીન કરવું નથી, જ્ઞાનપર્યાયને પોતામાં લીન કરે છે, તે કથનને સ્વરૂપમાં મન લીન કરે છે-એમ કહ્યું છે. સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયમાં પરિણામ લીન થાય તેને સમાધિ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com