Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૬, મંગળ ૨૦-૧-પ૩
પ્ર. -૪૫
આત્માને જ્ઞાનની પ્રધાનતાથી “જ્ઞાયક” તરીકે વર્ણવ્યો છે. આત્મા જ્ઞાયક છે. જ્ઞાન સર્વને જાણનાર છે. જ્ઞાન સર્વ વસ્તસ્વરૂપનો નિર્ણય કરે છે. શ્રદ્ધા તો નિર્વિકલ્પ પ્રતીતિરૂપ છે. તેને જાણનારું જ્ઞાન છે. એ રીતે અનંત ગુણોમાં જ્ઞાનગુણની પ્રધાનતા છે. જ્ઞાન વડે સ્વસંવેદન થાય છે. આત્માનું સ્વસંવેદન થતાં પ્રથમ જ્ઞાનનો અંશ શુદ્ધ થયો. ચોથા ગુણસ્થાને જ્ઞાનનું સ્વસંવેદન પ્રગટયું તે સમ્યક મતિ-શ્રુતજ્ઞાન છે, તે અંશ છે અને તેનો પૂર્ણ વિકાસ થતાં પૂર્ણ લોકાલોકને જાણે એવું સામર્થ્ય પ્રગટે છે. સ્વાનુભવ તરફ જે અંશ વળ્યો તે વધીને કેવળજ્ઞાન થાય છે, રાગ વડે કેવળજ્ઞાન થતું નથી. પર શેયો છે માટે જ્ઞાન તેને જાણે છે-એમ નથી, પણ જ્ઞાનપર્યાય પોતે તેવા શેયાકારરૂપે થાય છે. પરજ્ઞયો કાંઈ જ્ઞાનમાં આવતાં નથી. શબ્દાદિ પરશેયોને લીધે જ્ઞાનપર્યાય થતી નથી. મતિશ્રુતજ્ઞાન હો કે કેવળજ્ઞાનપર્યાય હો, તે દરેક જ્ઞાન પોતાની જ્ઞાનપર્યાયથી જ છે, પરને લીધે તે જ્ઞાન નથી.
શેય નાશ થતાં જ્ઞાન નાશ પામે એમ નથી. રાગ થયો, રાગનું જ્ઞાન થયું, છતાં જ્ઞાનની પર્યાયમાં રાગનો ખ્યાલ અને રાગ તે હું નહિ એમ જ્ઞાનનો ખ્યાલ રહે છે, માટે શેયના કારણે જ્ઞાન નથી.
જેટલાં શેયો જાણવામાં આવે છે તેટલા ભેદજ્ઞાનની પર્યાયમાં પડે છે તે જ્ઞાનના કારણે છે. રાગ અને પરયો જણાય તેથી જ્ઞાનનું અસ્તિત્વ નથી જ્ઞાન તો જ્ઞાનસ્વભાવથી જ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com