Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૨ ]
[૩૨૫ સુખરૂપ ધર્મ, ચેતનાપ્રાણધર્મ, પરમેશ્વરધર્મ, સર્વોપરિધર્મ, અનંતગુણધર્મ, શુદ્ધસ્વરૂપપરિણતિધર્મ,
અપારમહિમાધારકધર્મ, નિજશુદ્ધાત્મસ્વભાવરૂપધર્મએ નિજધર્મ છે. પાંચ જડદ્રવ્યોના ધર્મની વાત કરતા નથી. અહીં જીવના નિજધર્મની વાત કરીએ છીએ. જડને હિત-અહિત નથી, જીવને હિત કરવું છે. જીવમાં તારણધર્મ છે તેની વાત કરે છે.
(૧) સંસારતારણ ધર્મ - આ સંસાર આદિ વિનાનો છે. કર્મના નિમિત્તે જીવ જન્માદિ દુ:ખ ભોગવે છે. કર્મે દુ:ખ કરાવ્યું નથી, કર્મ જડ છે. તેના સંબંધમાં જોડાણ કરે તો દુઃખ ભોગવે છે. તેવા દુઃખ કે અધર્મથી તારે તેને તારણધર્મ કહે છે. દયા, દાન, કામ, ક્રોધ ભાવ થાય તે પરધર્મ છે-વિકાર છે. અજ્ઞાની વિકારને પોતાનું સ્વરૂપ માને છે. શરીરના ધર્મને પોતાનો માને, પુણ્યથી ઠીક થાય, પૂર્વનાં પુણ્ય ફળે તો ઠીક થાય, એવી માન્યતા તે અધર્મભાવ છે. પૈસા, બૈરાં, છોકરો અને અનુકૂળતા પોતાને મળ્યાં માને છે. પુણ્ય-પાપ વિકારાદિ પરધર્મને પોતાના માને છે તથા તેને હિતકારક માની દુઃખ ભોગવે છે. પરધર્મને નિજધર્મ માનવો તે દુઃખ છે. સંયોગો, પૈસા કે શરીર સુખ-દુઃખ આપતાં નથી. પર વસ્તુના સ્વભાવને પોતાનો સ્વભાવ માનવો તે દુઃખનું કારણ છે. ખાવાપીવાના પદાર્થોમાં સુખ-દુ:ખ નથી. લાડુ સુખરૂપ નથી, ઝેર દુઃખરૂપ નથી. પૈસા હોય તો ઠીક પડે વગેરે માન્યતા ભૂલ ભરેલી છે. પરવસ્તુનો સ્વભાવ સ્વતંત્ર છે, આત્મા તેમાં કાંઈ કરી શકતો નથી. પરનો સ્વભાવ આત્મા કરી શકે છે એમ માનવું અથવા પરનો સ્વભાવ અનુકૂળ-પ્રતિકૂળ માનવો તે સંસાર છે. પર જીવ બચે છે તે તે જીવનો ધર્મ છે, છતાં હું તેને બચાવું છું એ માન્યતા દુઃખનું કારણ છે. પર પ્રાણી મારાથી મર્યો ને મારાથી બચ્યો એ માન્યતા દુઃખનું કારણ છે.
શરીરાદિ અનંતા પર પદાર્થો છે. પર પદાર્થને પોતાના માનવા કે ઠીક-અઠીક માનવા તે દુઃખનું કારણ છે. પચીસ હજાર રૂપિયા મળે તે સુખનું કારણ નથી ને પચીસ હજાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com