Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦]
[ શ્રી અનુભવ પ્રકાશ તે પણ મિથ્યાદષ્ટિ થઈ જાય છે. આત્માનું ભાન થયું તે નિશ્ચય છે ને જેટલો રાગ ને અલ્પજ્ઞતા વર્તે છે તેને જાણવું તે વ્યવહાર છે.
શ્રી સમયસાર ગાથા ૧રની ટીકામાં કહ્યું છે કે જો નિશ્ચયને છોડશો તો તત્ત્વનો નાશ થઈ જશે ને જો વ્યવહારનું જ્ઞાન નહિ કરે એટલે કઈ ભૂમિકાએ કેટલો કેટલો રાગ વર્તે છે તેનું જ્ઞાન ન કરે તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. જે અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતા માને ને રાગમાં વીતરાગતા માને તેણે તીર્થપણું છોડી દીધું છે. તેણે વ્યવહારને છોડયો છે. વ્યવહારનય છોડવો નહિ એનો અર્થ એમ નથી કે શરીરાદિ પર પદાર્થોની ક્રિયા ન છોડવી. પર પદાર્થની વાત જ નથી. આત્મા પરપદાર્થની ક્રિયા કરી શકતો નથી, તેમ જ છોડી શકતો નથી. સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિર થયો નથી ત્યાં સુધી રાગ-દ્વેષાદિના પરિણામ ને અલ્પજ્ઞતા વર્તે છે. ચોથી, પાંચમી, છઠ્ઠી વગેરે ભૂમિકામાં જે જે રાગાદિ પરિણામ વર્તે છે તેને જાણવા તે વ્યવહારનય છે, તેને યથાર્થ ન જાણે તો વ્યવહારને ઉડાડ્યો કહેવાય છે.
હું શાયક છું-એવું ભાન કરીને સ્વરૂપમાં શ્રદ્ધા કરી પણ રાગ અનેક પ્રકારે થાય છે ને અનેક પ્રકારની જ્ઞાનની તારતમ્યતા થાય છે તેને જાણવું તે વ્યવહાર છે. પર્યાયમાં નબળાઈ છે-રાગ છે તેને જાણવું તે વ્યવહાર છે. તે વ્યવહાર છોડવો નહિ છતાં વ્યવહાર આદરણીય નથી. અગિયારમી ગાથામાં વ્યવહાર અભૂતાર્થ કહ્યો હતો એટલે બારમી ગાથામાં ખુલાસો કર્યો કે વ્યવહાર અભૂતાર્થ કહ્યો પણ જાણવા જેવો છે ખરો. જાણવા જેવો નથી-એમ નથી. પર્યાયનું જ્ઞાન કરી, સ્વભાવમાં સંસાર નથી એવી દષ્ટિ કરી લીનતા કરવી તે ધર્મ છે.
આમ નિર્ણય ઠીક કર્યો હોવા છતાં પર્યાયમાં અલ્પજ્ઞાન છે, અલ્પદર્શન છે, અલ્પચારિત્ર છે. અલ્પવીર્ય છે, અલ્પઆનંદ છે-એમ પર્યાયનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, તે વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com