Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૫]
[૩૪૭ શક્તિ પ્રમાણે તપ-ત્યાગ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને સમ્યગ્દષ્ટિને ત્યાગ હોય છે, એવો વીતરાગનો માર્ગ છે.
ક્ષાયિક સમ્યગ્દર્શનમાં આવરણ રહ્યું નથી, એટલે તે પૂર્ણ નિર્મળ છે, છતાં ચારિત્રગુણ પૂર્ણ નિર્મળ નથી, માટે પરમ સમ્યકત્વ નથી-એમ કહેલ છે. ધર્મી પોતાના પરિણામ જોઈને પ્રતિજ્ઞા લે છે, પણ હુઠથી પ્રતિજ્ઞા લેવી એવો વીતરાગનો માર્ગ નથી. સમ્યગ્દષ્ટિ સમજે છે કે મારા પરિણામમાં શિથિલતા છે, રાગ છે. અંતરમાં દઢતા આવે કે પ્રાણ છૂટી જાય પણ પ્રતિજ્ઞા ન ભાંગે એવા પરિણામ થવા જોઈએ.
દર્શનગુણમાં ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં કોઈ અધૂરાશ રહી નથી, છતાં ત્યાં બધા ગુણો પૂર્ણ થયા નથી, માટે મિશ્રધર્મ છે એમ કહેલ છે.
બારમાં ગુણસ્થાન સુધી મિશ્રદશા હોય છે, તેથી ત્યાં ધર્મ પૂર્ણ થયો નથી. સમ્યગ્દર્શન પૂર્ણ છે પરંતુ બીજા ગુણો પૂર્ણ થયા નથી તેથી મિશ્રધર્મ કહેલ છે.
જ્ઞાનીને આત્મામાં વિભાવ થાય છે તે પોતાના કારણે થાય છે એમ તે માને છે. અજ્ઞાની નિમિત્તથી તે ભાવો થાય છે એમ માનીને સ્વચ્છંદી થાય છે, તેને મિથ્યાત્વનો નાશ થતો નથી. વિભાવ આત્મામાં પોતાને કારણે થાય છે એમ માનીને તે પોતાનો સ્વભાવભાવ છે એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે. વિભાવ ભાવ પર્યાયમાં પોતાને કારણે થાય છે, કર્મના કારણે થતો નથી. પણ તે મારો સ્વભાવ નથી એમ જ્ઞાની માને છે તેથી તેના નાશનો પુરુષાર્થ કરે છે.
સમયસાર કળશ-ટીકા રાજમલ્લજીની છે. એમાં કહેલ છે કે જે કોઈ જીવો આત્માની પર્યાયમાં રાગાદિ થાય છે તે કર્મના કારણે થાય છે એમ માને છે તે મિથ્યાષ્ટિ-અનંત સંસારી છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પણ જે રાગાદિની પરિણતિ છે તે ચારિત્રમોહકર્મની પ્રબળતાના કારણે છેએમ પણ નથી. અહીં મિશ્રધર્મની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com