Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૫] .
[૩૪૯ પણ હજુ કેવળજ્ઞાન થયું નથી; એ જ બે ધારા બતાવે છે. એ રીતે જ્ઞાન અને સમ્યગ્દર્શન મેળવીને વાત કરી.
હવે કહે છે, જેવી રીતે જ્ઞાનની વાત કરી એવી રીતે જીવની દર્શનશક્તિ અદર્શનરૂપ છે-આ સામાન્ય ઉપયોગરૂપ દર્શનશક્તિની વાત છે, સમ્યગ્દર્શનની વાત નથી, કેમકે ક્ષાયિક સમ્યગ્દર્શનમાં તો પૂર્ણ નિર્મળ દશા છે. તે વખતે દર્શનશક્તિ સામાન્ય ઉપયોગરૂપ પૂર્ણ નથીપૂર્ણ નિર્મળ નથી, માટે જેટલી શક્તિ બાકી છે એટલી અદર્શનરૂપ છેએ પ્રમાણે ચારિત્રગુણની કેટલીક શક્તિ ચારિત્રરૂપ તથા કેટલીક શક્તિ અન્ય વિકારરૂપ છે. ચારિત્રગુણની પર્યાય વિકારરૂપે છે તે પોતાના કારણે રહી છે, કર્મના કારણે રહી નથી–એમ કહેવા માગે છે. માટે મિશ્રદશારૂપ ધર્મ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com