Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮]
[ શ્રી અનુભવ પ્રકાશ વાત કરેલ છે. ચારિત્ર પૂર્ણ નથી માટે સમ્યકત્વગુણમાં કાંઈ કમી છેએમ નથી.
ચેતન-અચેતનની જાદી પ્રતીતિથી સમ્યકત્વગુણ નિજજાતિરૂપ થઈ પરિણમ્યો છે એટલે કે હું ચેતન જ્ઞાયકમૂર્તિ છું, અચેતન હું નહીં, પોતાની જેવી જાતિ છે એ રીતે પરિણમ્યો છે. તેનું લક્ષણજ્ઞાનગુણ અનંતશક્તિએ કરી વિકારરૂપ થઈ રહ્યો હતો, તે ગુણની અનંતશક્તિમાં કેટલી શક્તિ પ્રગટ થઈ તેને મતિ-શ્રુત જ્ઞાન કહેવાય છે. આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે જ્ઞાનશક્તિ વિકારરૂપ થઈ રહી હતી, તે સામાન્યથી મતિ-શ્રુતની પર્યાયને સમ્યક કહેવામાં આવે છે. જાતિ અપેક્ષાએ સમ્યક થયો પણ પૂર્ણ નિર્મળપણાને જ્ઞાનગુણ પામ્યો નથી. સંવેદન થયું એટલે તે જ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન જઘન્ય છે, પૂર્ણ નથી, કેમકે હજુ જ્ઞાન ઘણું બાકી રહ્યું છે, તેથી તેને અજ્ઞાનપણું કહેવાય છે. એટલો જ્ઞાનનો અભાવ છે, એટલે વિકારરૂપ કહીએ અજ્ઞાનભાવ કહેલ છે.
ધર્મ થાય છે એ વખતે અધર્મ પણ હોય છે-એની વાત ચાલે છે. જો અંશે ધર્મ પ્રગટ થતાં તુરત જ પૂર્ણતા થતી હોય તો સાધકદશા અને મિશ્રધર્મને તે સમજતો નથી. જ્ઞાનમાં પૂર્ણદશા નથી, અલ્પજ્ઞતા છે, તેને વિકારશક્તિ કહેલ છે અને તે વિકારશક્તિને અહીં કર્મધારા કહેલ છે. અહીં આવરણરૂપ જે કર્મ છે એની વાત નથી, કેમકે એ તો જડ છે; પણ આત્માની પર્યાયમાં જેટલી કમી છે-હીણપ છે તેને કર્મધારા કહે છે.
આ કર્મધારા પોતાના કારણે રહેલ છે. જેટલી જ્ઞાનશક્તિ નિર્મળ થઈ છે–એટલી તો સમ્યજ્ઞાનધારા છે. એ બે ધારાને મિશ્રધારા કહે છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને કર્મનો તીવ્ર ઉદય છે માટે ચારિત્રદશા નથી-એમ નથી. એવી રીતે જ્ઞાનમાં જેટલી અધૂરાશ છે તે બધી જ્ઞાનશક્તિ પૂર્ણરૂપે થઈ નથી માટે છે, પણ કર્મના આવરણના કારણે છે-એમ નથી. સમ્યગ્દર્શન ક્ષાયિક થયું છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com