Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૩, રવિ ૧-૨-૫૩
પ્ર. -૫૭
આ અનુભવપ્રકાશ ગ્રંથ છે. આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણતાં સ્વભાવસમુખ દષ્ટિ થાય ત્યારે ધર્મ થાય છે.
પ્રથમ દષ્ટાંત આપે છે. અહીં હાથમાં ચિંતામણિનો દાખલો આપે છે- જેવી રીતે હાથ વિષેના ચિંતામણિને ભૂલે ને કાચને રત્ન માને તો તે રત્ન ન થાય ને ચિંતામણિને કાચ જાણે તો તે કાચ ન થાય ને તેનું ચિંતામણિપણું જતું ન રહે, તેમ અજ્ઞાની જીવ આત્માને શરીર, કર્મ આદિ પરરૂપ જાણે તેથી આત્મા પરરૂપ થતો નથી. શરીર, મન, વાણીની ક્રિયા પોતે કરે એમ માને તો પર ઉપર દષ્ટિ રહે છે છતાં આત્મા પોતાનો સ્વભાવ કદી પણ છોડતો નથી. વસ્તુ વસ્તુપણાને છોડ નહિ, પોતાના દ્રવ્યને છોડે નહિ, પોતાનું પ્રમાણ-સ્વરૂપ છોડે નહિ. પ્રમાણ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ને ભાવની હદ છોડે નહિ. કોઈ દ્રવ્ય પોતાના પ્રદેશને છોડે નહિ, આત્મા પણ પોતાના અસંખ્ય પ્રદેશને કદી છોડતો નથી, પરને પોતાનું માને તેથી પર પોતાનું થાય નહિ ને પોતે પરરૂપ થાય નહિ.
સંસાર અવસ્થા હો કે સિદ્ધ-અવસ્થા હો-કોઈ દ્રવ્ય પોતાની હદ છોડી પરમાં ન જાય. દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ ત્રિકાળ છે ને કાળ એટલે સંસારદશા અથવા સિદ્ધદશા જે હોય તેને જીવ છોડતો નથી. બધા પદાર્થો બીજા દ્રવ્યની બહાર લોટે છે. નિગોદ-અવસ્થા હો, સાધકઅવસ્થા હો કે સિદ્ધ-અવસ્થા હો-દરેક વખતે દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં છે. ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, અવગાહન પોતાનું ક્ષેત્ર છે, પોતાની સમય સમયની અવસ્થા તે કાળ છે અને શક્તિઓ તે ભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com