Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૬]
[૩૫૩ આત્મા ચેતનસત્તામય છે. પ્રયોજનભૂત ક્રિયા વડે ચેતનનું વસ્તુત્વ નક્કી થયું, તેના અનંત ગુણો પરિણમે છે તે ચેતનનું દ્રવ્યત્વ છે, જણાય તે ચેતનનું પ્રમેયત્વ છે. આમ વસ્તુ છે એની ખાત્રી પોતાને કેવી રીતે થાય? જાણવા-દેખવાવડે ચેતનસત્તાનો નિર્ણય થતાં ચેતનવતુત્વ, ચેતનદ્રવ્યત્વ, પ્રમેયત્વનો નિર્ણય થયો, પ્રદેશત્વને જાણ્યું. આ વસ્તુ આમ જ છે એવો નિર્ણય થયો. દર્શન, જ્ઞાન, અને ચારિત્ર જીવવસ્તુનું સર્વસ્વ છે એમ કહેલ છે.
અનુભવ તો પર્યાય છે. તે પર્યાય દર્શન-જ્ઞાન અને ચારિત્રની છે. પદાર્થનો નિર્ણય પરથી તો થાય નહિ, પણ વ્યવહારરત્નત્રયથી પણ આ નક્કી થાય નહિ. ચૈતન્ય અખંડ વસ્તુ છે, એમાં પર્યાયની અંદર જેટલો રાગ છે તેને વ્યવહાર કહ્યો છે. તે વડે નિશ્ચય અખંડ દ્રવ્યનો નિર્ણય થાય નહિ. દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય સિવાય બીજા ગુણોથી પણ વસ્તુનો નિર્ણય થતો નથી એ સિદ્ધ કર્યું છે.
જાણવા-દેખવામાં સ્થિરતા થઈ એનું નામ અનુભવ છે, એ જ ધર્મ છે. એને સામાયિક કહો કે પૌષધ તપ કહો, એ સિવાય યથાર્થ સામાયિક-પૌષધ વગેરે કાંઈ હોતું નથી. દ્રવ્ય અવસ્થિત છે. દ્રવ્યસત્તા છે એમ ગુણસત્તા છે અને એવી રીતે પર્યાયસત્તા પણ છે. આત્મવસ્તુ દ્રવ્યગુણપર્યાયથી અખંડ ચેતનારૂપ અનાદિ અનંત વર્તે છે. આવો શુદ્ધ
સ્વભાવ હોવા છતાં અનાદિથી કર્મના નિમિત્તે પર્યાયમાં અશુદ્ધ થઈ રહ્યો છે. અજ્ઞાનીને સુખસ્વભાવની ખબર નથી, તોપણ સ્વભાવથી તો તે પણ શુદ્ધ સ્વરૂપ જ છે.
જાઓ, અહીં ચેતનાની વાત કરી. તે ચેતના કેમ પ્રાપ્ત થાય? એની વાત કરે છે. કોઈએ કોઈ એક જ્ઞાનવાન પુરુષને પુછયું કે અમને શુદ્ધ ચેતનની પ્રાપ્તિ બતાવો. ચેતના પોતામાં છે એવી જેને ખબર નથી તે બીજા પાસે જાય છે. તેને તે પુરુષ કહે છે કે અમુક પુરુષ પાસે જાવ. વળી તે બીજો પુરુષ મગરમચ્છ પાસે મોકલે છે અને કહે છે કે તે મચ્છ તમને શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ કરાવશે. તેથી તે પુરુષ મચ્છ પાસે ગયો અને કહ્યું કે મને શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ કરાવો. જાઓ, અજ્ઞાની નિમિત્તમાં ને રાગમાં આત્માનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com