Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૧, શુક્ર ૩૦-૧-૫૩
પ્ર. -૫૫
આ અનુભવપ્રકાશ ગ્રંથમાં મિશ્રધર્મનો અધિકાર છે. આત્મામાં જે ક્ષણે અનુભવ એટલે ધર્મ પ્રગટ થાય છે તે જ ક્ષણે પૂર્ણ અનુભવ થતો નથી. પૂર્ણ અનુભવ તો કેવળજ્ઞાનમાં થાય છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, એની પ્રતીતિ અને અનુભવ તે ધર્મ છે.
ચોથા ગુણસ્થાનથી માંડીને જેટલી શુદ્ધ દશા થઈ તેટલો ધર્મ છે. અને જેટલી વિકારી દશા રહે તેઅધર્મ છે. જ્યાંસુધી પૂર્ણદશા ન થાય ત્યાંસુધી બંને ભાવ હોય છે. એને મિશ્રદશા કહે છે.
હવે એમાં પ્રશ્ન ઉઠાવ્યો કે- તમો એમ કહો છો કે સમ્યગદર્શનરૂપી ધર્મ પ્રગટ થાય છે, એમાં ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તે ક્ષાયિક સમ્યગુણ સર્વથા શુદ્ધ થયો છે કે નહિ? જો તેને સર્વથા સમ્યકપણું થયું હોય તો તેને સિદ્ધ કહેવો પડશે, કેમકે એક ગુણ સર્વથા સમ્યક્ થયો હોત તો બધા ગુણ સમ્યક્ હોવા જોઈએ, કારણ કે એક ગુણ બધા ગુણમાં વ્યાપેલો છે તેથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને મિશ્રપણું રહેતું નથી.
ક્ષાયિકસમ્યકત્વ થયું તે વખતે તે ગુણ સર્વથા સમ્યક થયો હોય તો બીજા ગુણો પણ સર્વથા સમ્યક હોવા જોઈએ, પણ એમ તો નથી, કેમ કે સમ્યજ્ઞાન પૂર્ણ થયું નથી. એકદેશ જ્ઞાન છે તેથી ક્ષાયિકને સર્વથા સમ્યકપણું ન કહો, એમાં કિંચિત્ કચાશ રહી ગઈ છે-એમ કહેવું પડશે. હવે તેને કચાશ કહેશો એટલે કિંચિત્ શુદ્ધ થયો છે એમ કહેશો તો સમ્યક્રગુણને ઘાતક મિથ્યાત્વ તથા અનંતાનુબંધીનું કર્મ એને હોવાં જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com