Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૪]
[૩૪૩ આત્મવસ્તુ છે એમ શ્રદ્ધા ને લીનતા કરી એકાગ્ર થાય તે ઉપાદેય છે. આ ઉપાદેય છે, એવો વિકલ્પ તે ઉપાદેય નથી ને જેટલો રાગ ને અલ્પજ્ઞતા ટળતી જાય છે તેને હેય કહે છે, હેય કરવું પડતું નથી. હેયનું જ્ઞાન વ્યવહારનયનો વિષય છે ને ઉપાદેયનું જ્ઞાન તે નિશ્ચયનયનો વિષય છે.
આત્મામાં એવો ભરોસો થયો કે હું શુદ્ધ ચિદાનંદ છું એવી દઢ પ્રતીતિને કોઈ ફેરવવા સમર્થ નથી. તેને ક્ષાયિક સમકિત કહે છે. તે શ્રુતકેવળી, કેવળીભગવાન ને તીર્થકરની સમીપે થાય છે. બહારમાં સંસારમાં દેખાતો હોય છતાં ધર્મીને ચૈતન્યજ્યોતનો ભરોસો આવ્યો છે, તેને ડગાવવા કોઈ સમર્થ નથી. પોતે પાછો પડે એવો નથી. અખંડ વસ્તુ આનંદકંદ છે, એવી પ્રતીતિ થઈ છે તેને ક્ષાયિક સમકિત કહે છે. પર્યાયમાં નિર્મળતા પ્રગટ કરી ને નિમિત્તરૂપે કર્મ ન રહ્યું. હવે તેમાં પ્રશ્ન કરે છે–આત્મામાં એવી પ્રતીતિ આવી કે તે પાછો પડે નહિ ને પૂર્ણદશા લીધે છૂટકો–એવી શ્રદ્ધાવાળાને સમ્યકપણું પૂર્ણ પ્રગટયું છે કે અધૂરું છે? જો સમ્યક પૂર્ણભાવ પ્રગટયો હોય તો સિદ્ધ થઈ જવો જોઈએ કેમકે એક ગુણ પૂર્ણ સમ્યક્ થતાં બધાં ગુણો પૂર્ણ સમ્યક્ થઈ જાય અને સિદ્ધદશા પ્રગટે?
અહીં મિશ્ર અધિકારની વાત લીધી છે. આત્મા આનંદનો પિંડ છે, એવી ક્ષાયિક પ્રતીતિ કરી તેને સમ્યક્રગુણ પૂરો થઈ ગયો છે, માટે બધા ગુણો પૂર્ણ થઈ જવા જોઈએ-એમ શિષ્ય શંકા કરે છે. તેનું કારણ એ છે કે સમ્યફગુણ બધામાં વિસ્તરેલો છે. શ્રદ્ધા ગુણની દશા પૂર્ણ નિર્મળ થઈ ગઈ તે આખા આત્મામાં વ્યાપેલ છે માટે બધા ગુણો પૂર્ણ થઈ જવા જોઈએ-એમ શિષ્ય શંકા કરે છે.
શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત થયેલ છે. તેઓ નરકમાંથી નીકળી તીર્થંકર થશે. બધા ગુણો અત્યારે પૂર્ણ નથી, જેથી શિષ્ય પ્રશ્ન કરે છે કે સમ્યગ્દર્શન પૂર્ણ નિર્મળ થયું છે અને આત્મામાં વિભુત્વ નામનો ગુણ છે જેથી એક ગુણ આખા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com