Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ રૂપિયા કોઈ લૂંટી જાય તે દુઃખનું કારણ નથી. પર પદાર્થ સુખ-દુ:ખનું કારણ નથી. પર પદાર્થનો ધર્મ પોતાને સુખરૂપ અથવા દુઃખરૂપ માનવો તે ભ્રાન્તિ છે. બીજો જીવ મને તારી શકે છે-એમ માનવું તે ભૂલ છે.
શરીર આદરવા યોગ્ય નથી માટે નિંદ્ય છે, છતાં અજ્ઞાની શરીરને ધર્મનું સાધન માને છે. શરીરમાં સુખ માને, વિષયમાં સુખ માને, ઇન્દ્રિયથી સુખ માને, જડની અવસ્થાથી આત્માની અવસ્થા માને તો દુઃખ પામે. શરીર સારું હોય તો ધર્મ થાય ને રોગી હોય તો ધર્મ ન થાય-એ માન્યતા અજ્ઞાન છે. શરીર ઉપરની દષ્ટિ તે પર્યાયષ્ટિ છે. સ્વભાવ ઉપર જેની દષ્ટિ નથી પણ રાગ ઉપર દષ્ટિ છે તેની દૃષ્ટિ શરીર ઉપર ગયા વગર રહે નહિ. શરીરથી તપશ્ચર્યા થશે ને તેનાથી ધર્મ થશે-એમ મૂઢ માને છે. અનાદિથી જડની ક્રિયાથી ધર્મ માને છે, માટે તે દુઃખ પામે જ પામે, પણ સુખ પામે નહિ. દયા, દાન, વ્યવહારરત્નત્રય પરધર્મ છે. શરીરને પોતાનું માન્યા વિના રાગને પોતાનો માની શકે નહિ. પર પદાર્થો એ જ હું છું-એવી બુદ્ધિ પર્યાયબુદ્ધિવાળાને થાય છે. આત્મા મોટો સરદાર છે, તે શરીર તથા પુણ્યને પોતાનાં માને તો દુ:ખ પામે જ પાસે, તેને ધર્મ ન થાય. શરીર તે હું નથી, વિકાર તે હું નથી, હું તો શુદ્ધ ચૈતન્ય છું-એમ શુદ્ધ ચૈતન્યધર્મને જાણે ત્યારે સંસારથી તરે છે. તે સંસારતારણ ધર્મ છે. તેને નિજધર્મ કહીએ છીએ. કર્મને દુ:ખ નથી. કર્મ પરમાણુની અવસ્થારૂપે થાય તો કર્મને દુઃખ નથી, ને કર્મ છૂટાં પડી જાય તો કર્મને સુખ નથી. સિદ્ધદશા વખતે સિદ્ધનાં કર્મ છૂટાં પડી ગયાં તો કર્મને સુખ થતું હશે ? ના, કર્મને સુખદુ:ખ નથી. અહીં આત્માને સુખદુઃખ થાય છે. અહીં આત્માના ધર્મની વાત ચાલે છે. પરથી સુખદુઃખ માનવું તે અધર્મ છે. શુદ્ધિ ચૈતન્યના આશ્રયે અધર્મ ટળી ધર્મદશા થાય તેવો સંસારતારણ ધર્મ જીવમાં છે, જડમાં એવો ધર્મ નથી. કસ્તૂરી, હીરા, વગેરે પુદ્ગલોમાં એવો ધર્મ નથી. પરથી સુખ-દુઃખ માનવારૂપ અધર્મથી છૂટાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com