Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૧૫, ગુરુ ૨૯-૧-૫૩
પ્ર. -૫૪
આ મિશ્રધર્મનો અધિકાર છે. આત્માનો જ્ઞાન ને દર્શનરૂપી ચેતના સ્વભાવ છે. તેમાં લીનતા કરી કેવળજ્ઞાનદશા ન થાય ત્યાં સુધી મિશ્રધર્મ છે એમ કહે છે. કેવળજ્ઞાનમાં કર્મધારા નથી, એકલી જ્ઞાનધારા છે ને જે દયા-દાનથી ધર્મ માને ને શરીરની ક્રિયાથી ધર્મ માને તેવા મિથ્યાદષ્ટિને એકલી કર્મધારા છે; ત્યાં મિશ્રધારા નથી. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધી મિશ્રધર્મ છે તેની વાત કરે છે.
હું આત્મા અખંડાનંદ છું-એવી શ્રદ્ધા ને સ્થિરતા કરી તેટલી જ્ઞાનધારા છે ને જેટલો રાગ બાકી રહ્યો તેટલી રાગધારા છે. આત્માના અવલંબને આનંદધારા હોય છે, પણ સાધકને જ્ઞાનચેતના પૂર્ણ થઈ નથી એટલો રાગભાવ બાકી છે. ચોથા, પાંચમા, છઠ્ઠી વગેરે ગુણસ્થાનવાળા જીવોને ગુણની અપૂર્ણતા છે એટલો મિશ્રભાવ છે, પણ મુખ્ય શ્રદ્ધાભાવ છે. હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, એક રજકણનો કર્તા-ભોકતા નથી તેમ જ રાગાદિનો ખરેખર કર્તા-ભોકતા નથી, એવા શ્રદ્ધાભાવમાં આનંદ છે ને આવી શ્રદ્ધા થવા છતાં કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રાગાદિ પરિણામ થાય છે પણ તે ગૌણ વર્તે છે. રાગાદિ હેયભાવે વર્તે છે તેને વ્યવહાર ગણી તે મારા સ્વરૂપમાં નથી એમ કહ્યું છે.
શ્રી નિયમસરની ટીકામાં પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે “હું સ્વર્ગમાં હોઉં કે ગમે ત્યાં હોઉં તો હે પ્રભુ! તારા ચરણકમળમાં રહું” તેનો અર્થ એમ છે કે પુદગલપરાવર્તનના નિયમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com