Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૦].
[૩૧૫ અહીં ચારિત્રપર્યાયના ગુણ-દોષની વાત નથી. જે જે તીવ્રતામંદતા હોય તેને જ્ઞાન જાણે છે. આ જાણવા યોગ્ય છે એમ જ્ઞાન જાણે છે. “જ્ઞાતું યોગ્ય શેય.”
અહીં કોઈ પ્રશ્ન કરે કે વિપરીત પ્રરૂપણા કરનાર પ્રત્યે તલાકપણું ન આવે તો તે મિથ્યાદષ્ટિ છે, એવું કથન આવે છે તેનું શું સમજવું? સત્તાસ્વરૂપમાં કહે છે કે-જે સાચો જૈન હશે તે તો પ્રયોજનભૂત રકમમાં અન્ય દ્વારા બાધા સર્વથા આવવા દેશે નહિ, તથા બાધા જોઈને પોતાને તલાક (એમ નહિ એવો નકાર) ન આવે તો તે જૈનાભાસી-મિથ્યાષ્ટિ જ છે. આનો શો અર્થ?
સમાધાનઃ- જે વિકલ્પ ઊઠે છે તે ચારિત્રગુણની પર્યાયનો દોષ છે. જ્ઞાનમાં હેય-ઉપાદેયપણું નથી. જ્ઞાને તે પ્રકારના જ્ઞયને જાણ્યું છે. વિપરીત વાત જાણી માટે સાધકને તલાકપણાનો રાગ આવ્યો છે એમ નથી, પણ સાધકદશામાં પૂર્ણ વીતરાગતા નથી માટે રાગ આવે છે. મિથ્યાષ્ટિની વાત સાચી નથી–એવો વિકલ્પ સાધકદશામાં આવ્યા વિના રહેતો નથી. સામો જીવ ખોટી પ્રરૂપણા કરે છે, માટે તલાપણાનો રાગ આવે છે. -એમ નથી; જ્ઞાને જાણું માટે રાગ આવે છે, એમ પણ નથી; પણ પોતાની ચારિત્રની પર્યાયનો દોષ છે એટલે તલાકપણાનો વિકલ્પ આવે છે.
શાસ્ત્રમાં અનેક પ્રકારનાં લખાણ આવે-શબ્દાર્થ, આગમાર્થ, ભાવાર્થ, નયાર્થ, મતાર્થ, વગેરેનું જ્ઞાન કરવું જોઈએ. જ્ઞાનમાં પર્યાયસત્તા જણાય છે. પરની સત્તાને જાણવી તે વ્યવહાર છે. ચારિત્રગુણની પર્યાયને જાણવી તે વ્યવહાર છે. અખંડ સ્વભાવને જાણવો તે નિશ્ચય છે.
- સાધકજીવને રાગ આવે છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાનસ્વભાવ છે, માટે રાગ થયો છે એમ નથી, રાગ થયો માટે જ્ઞાન પ્રગટયું એમ પણ નથી. પોતાને જાણતા પર તથા રાગને વ્યવહારે જાણે છે. રાગ આ કાળે આવો કેમ છે તેવો પ્રશ્ન રહ્યો નહિ ને રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com