Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪]
[ શ્રી અનુભવ પ્રકાશ છે તે પોતાના સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવના સામર્થ્યને લીધે જણાય છે. આવો નિશ્ચય જ્ઞાનસ્વભાવ જાણવો તે ધર્મ છે.
અહીં પર્યાયસત્તાની વાત ચાલે છે. બધા પદાર્થોની જે વર્તમાન દશા છે, તેને જ્ઞાન જાણે છે. જ્ઞાન રાગની પર્યાયને કે કેવલીની પર્યાયને શય તરીકે જાણે છે. હેય-ઉપાદેયનાં કથન આવે છે તે વ્યવહારનાં કથન છે. નિશ્ચય જ્ઞાનસ્વભાવ જાણે તેનો વ્યવહાર સાચો છે. કેવલી ભગવાનને લીધે રાગ થતો હોય તો બધાને રાગ થવો જોઈએ પણ એમ બનતું નથી. સાધક જીવને ચારિત્રગુણની નબળાઈથી રાગ આવે છે, તે પર્યાયસત્તાને જ્ઞાન જાણે છે. વિકલ્પ, રાગ, પ્રમત્ત, અપ્રમત્તબધી-પર્યાયસત્તા છે. તેને જ્ઞાન જાણે છે. તે પણ વ્યવહારથી જાણે છે. વિકલ્પ છે માટે જ્ઞાનપર્યાય થઈ છે એમ નથી. ચારિત્રગુણની પ્રમત્તરૂપ પર્યાય થઈ માટે જ્ઞાનની પર્યાય થઈ એમ માને તો જ્ઞાનનું સ્વસામર્થ્ય રહેતું નથી. જ્ઞાન પોતાના સામર્થ્યથી રાગાદિને જાણે છે. જ્ઞાન પર પદાર્થોને જાણે છે-એમ કહેવું તે વ્યવહાર છે, અસત્યાર્થ છે; માટે છોડવા લાયક છે. પોતે પોતાને જાણે છે એ નિશ્ચય છે, ભૂતાર્થ છે. પોતાનો જ્ઞાનસ્વભાવ કેવો છે તે જાણ્યા વિના પર્યાયસત્તાને કે પરની સત્તાને યથાર્થ જાણી શકે નહિ. આમ વિના વસુસ્વભાવનું જ્ઞાન થાય નહિ. વસ્તુસ્વભાવ જાણ્યા વિના સમ્યગ્દર્શન થાય નહિ, સમ્યગ્દર્શન વિના ચારિત્ર થતું નથી, ચારિત્ર વિના કેવળજ્ઞાન થતું નથી ને કેવળજ્ઞાન વિના સિદ્ધદશા થતી નથી.
પ્રથમ સમ્યગ્દર્શનને સમજો, ત્યારપછી વિશેષ સ્થિરતા થતાં પડિમા આદિ હોય છે. સમ્યગ્દર્શન વિના વ્રતાદિ હોય નહિ, આત્માની અંતસ્થિરતા તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મ એટલે આત્મા, તેનું ભાન થયા પછી વિશેષ આનંદ આવે છે તેને બ્રહ્મચર્ય કહે છે. કાયાથી બાહ્ય બ્રહ્મચર્ય પાળે તે શુભ છે. અભવીને પણ તેવું બ્રહ્મચર્ય હોય છે પણ તેમાં કાંઈ વિશેષતા નથી.
અહીં પર્યાયસત્તાની વાત ચાલે છે. જ્ઞાનપર્યાય પોતાની છે માટે નિશ્ચય છે, રાગની પર્યાય તે ખરેખર પોતાની નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com