Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૧૨, સોમ ૨૬-૧-૫૩
પ્ર. -૫૧
જ્ઞાનમાં જણાવા લાયક તે શય છે. જેવું જ્ઞય છે તેવું જ્ઞાન જાણે ને જ્ઞયનું જેવું સ્વરૂપ છે તેવું જ્ઞાનમાં જણાય.
આત્મામાં અનંત ગુણો છે. દરેક ગુણ બીજાથી અન્યત્વભેદરૂપ છે. દરેક ગુણ ક્ષેત્રથી પૃથક નથી પણ સ્વભાવથી પૃથક છે-એમ જ્ઞાન જાણે છે. જ્ઞાન જ્ઞાનને જાણે છે, દર્શન અને ચારિત્રને પણ જાણે છે. દરેક ગુણનો પરિણમનસ્વભાવ જુદો જાદો છે–એમ જ્ઞાન જાણે છે. સમ્યગ્દર્શન પ્રગટ થયું તો પછી જ્ઞાન કેવળજ્ઞાનરૂપે કેમ ન થયું? ને ચારિત્ર પૂર્ણ કેમ ન થયું? એ પ્રશ્ન રહેતો નથી. દરેક ગુણનું પરિણમન સ્વતંત્ર છે એમ જ્ઞાન જાણે છે. કોઈ ધર્મીને અવધિજ્ઞાન થઈ જાયએટલે કે ત્રણ જ્ઞાન પ્રગટે પણ ચારિત્ર પ્રગટે નહિ ને છઠ્ઠી ગુણસ્થાને મુનિને મતિ-શ્રુત બે જ્ઞાન હોય ને મુનિનું ચારિત્ર હોય છે, –એમ કેમ? એવું આશ્ચર્ય જ્ઞાનમાં નથી. કોઈ કરોડો વર્ષ સુધી મુનિપણે પાળે ને કેવળજ્ઞાન ન પ્રગટે તેને પણ જ્ઞાન જાણે છે. ગુણસ્થાનોમાં રહેલી શુદ્ધતા, અશુદ્ધતા કે અપૂર્ણતા, નિમિત્તરૂપે કર્મ વગેરે જે જે પ્રકાર હોય તેને જ્ઞાન જાણે છે. રાગનો ઉત્પાદ કે વ્યય વગેરેને જ્ઞાન જેમ છે તેમ જાણે છે.
વળી આત્મામાં અનંતા ગુણોનું પૂર અથવા પ્રવાહ છે તેને જ્ઞાન જાણે છે. એમાંથી એક ગુણ અથવા એક પર્યાય ઓછી જાણે તો તેણે જ્ઞાનસ્વભાવ જાણ્યો નથી ને સ્વભાવ પણ જાણ્યો નથી. સાચા જ્ઞાન વિના શાંતિ થતી નથી.
કોઈ જીવ ભગવાનના સમવસરણમાં જાય છતાં તેને સમ્યગ્દર્શન ન થાય ને કોઈ જીવ મુનિ પાસે જાય ને અલ્પ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com