Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ વિકારી પર્યાય હો કે અવિકારી પર્યાય હો- પણ તેમાં આત્મા જ વ્યાપક છે. વિકારી છે તે સ્વભાવ નથી, માટે તેમાં પર નિમિત્તનો આશ્રય હોય છે ને સ્વાભાવના આશ્રયે વિકાર છૂટી જાય છે, પણ એનો અર્થ એમ નથી કે નિમિત્તને લીધે વિકાર થાય છે. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયમાં વ્યાપે છે- ફેલાય છે. શુદ્ધ દ્રવ્યની દષ્ટિ કરાવવા સમયસારમાં એમ કહ્યું કે વિકારનો સ્વામી જડ છે, પણ ત્યાં કર્મને લીધે રાગ કરવો પડે છે- એમ નથી. નિમિત્તપ્રધાન કથન કર્યું છે તેથી કાંઈ નિમિત્તની પ્રધાનતાથી રાગ કરવો પડે છે એમ નથી. રાગપર્યાયે પણ જીવ પોતે પરિણમે છે. રાગપર્યાયમાં કોણ વ્યાપ્યો? જીવ પોતે તેમાં વ્યાપ્યો છે. પોતાના ગુણ-પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે. ગુણ પોતાના દ્રવ્ય-પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય ગુણ-દ્રવ્યાં વ્યાપે છે. જ્ઞાનપર્યાય થઈ તેમાં પોતાનો જ્ઞાનગુણ વ્યાપ્યો છે, તેમાં શાસ્ત્ર કે ગુરુ વ્યાપ્યા નથી. ચારિત્રની નિર્મળ પર્યાય થાય કે રાગરૂપ વિપરીત પર્યાય થાય- તેમાં ચારિત્રગુણ વ્યાપ્યો છે. વિપરીત શ્રદ્ધા કરે કે સમ્મશ્રદ્ધા કરે તેમાં પોતાનો શ્રદ્ધાળુણ વ્યાપ્યો છે. આનંદગુણ ત્રિકાળી દ્રવ્યમાં વ્યાપ્યો છે, તેમ જ દુ:ખ કે સુખરૂપ પર્યાયમાં પણ તે વ્યાપ્યો છે. એ પ્રમાણે બધા ગુણો દ્રવ્યમાં તેમ જ પર્યાયમાં સ્વતંત્રપણે વ્યાપે છે, એટલે પરને કારણે અવસ્થા થાય એ વાત રહેતી નથી. નિમિત્તને લીધે પર્યાય થાય- એમ જે માને છે તે પર્યાયમાં વ્યાપક એવા દ્રવ્ય-ગુણને ઉડાડે છે અને નિમિત્તના દ્રવ્ય-ગુણપર્યાય સ્વતંત્ર છે તેને પણ તે ઉડાડે છે.
અગ્નિથી કપડું સળગતું નથી કેમકે ઉષ્ણપર્યાય અગ્નિમાં વ્યાપે છે. પરસ્પર અભાવરૂપ સત્તાથી જુદા જ છે, તેથી જુદો જુદાનું શું કરે? કાંઈ ન કરે.
પ્રશ્ન- પંચમકાળ છે માટે કેવળજ્ઞાન નથી?
ઉત્તર:- નહીં, જીવની સ્વતંત્ર યોગ્યતા જ તેવી છે. તેમાં જીવ અને જીવના ગુણ વ્યાપે છે. ધર્મ કે અધર્મમાં પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com