Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૭ ]
[ ૨૯૫
નિમિત્ત આવે તો પર્યાય થાય-એમ નથી. આત્મામાં પરિણમવાની તાકાત છે, તેથી જ તે સમ્યગ્દર્શનાદિરૂપે કે રાગાદિરૂપે પરિણમે છે. દેવ-ગુરુ-શાસ્ત્રના કારણે સમ્યગ્દર્શનરૂપે પરિણમે છે એમ નથી, તેમ જ કર્મના ઉદયને લીધે રાગરૂપે પરિણમે છે એમ પણ નથી. આમ સ્વતંત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજતાં પોતે દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શનરૂપે પરિણમે છે. સમ્યગ્દર્શન કહો કે આત્માનો અનુભવ કહો, કે ધર્મ કહો, તે બધું એક જ છે. વસ્તુમાં જો સ્વયંસિદ્ધ પર્યાય ન થતી હોય તો વસ્તુની અર્થપર્યાયનો એટલે કે પ્રયોજનભૂત ક્રિયાનો અભાવ થાય. મોટર ચાલી તે તેની પર્યાયથી ચાલી છે- પેટ્રોલથી નહિ. પાણી ઊનું થયું તે પોતાના પર્યાયધર્મથી થયું છે, અગ્નિથી થયું નથી. દરેક પદાર્થમાં જો સ્વતંત્ર અવસ્થા ન થતી હોય તો વસ્તુનો જ અભાવ થઈ જાય. માટે પર્યાયથી સર્વસિદ્ધ છે. સંસાર, મોક્ષમાર્ગ કે મોક્ષ તે બધું આત્માની પર્યાયમાં છે. પર્યાય ન હોય તો તે કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, માટે મુક્તિની સિદ્ધિ પર્યાયથી જ છે. સમ્યગ્દર્શન વગેરેની સિદ્ધિ પણ પર્યાયથી જ છે. પુદ્દગલમાં પણ પુસ્તક, ભાષા, લાકડું, મોટર બધાં પર્યાયો જ છે, પર્યાય વિના તેની સિદ્ધિ થાય નહીં. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર પોતાના પર્યાયધર્મથી થાય છે. આવું વસ્તુસ્વરૂપ જાણે તો સમ્યાન થાય.
૫૨માત્મા પોતાની પૂર્ણદશાનો અનુભવ કરે છે, મોક્ષમાર્ગી પોતાની અવસ્થાનો અનુભવ કરે છે ને સંસારી પોતાની પર્યાયનો અનુભવ કરે છે. સૌ પોતપોતાની પર્યાયનો અનુભવ કરે છે, ૫૨ સાથે કોઈને સંબંધ નથી.
દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપેલુંછે. ઘડામાં માટીદ્રવ્ય વ્યાપે છે, કુંભાર નહિ. સમ્યગ્દર્શનાદિ પર્યાયો થાય તેમાં આત્મદ્રવ્ય વ્યાપે છે, શરીરની પર્યાયમાં આત્મા નથી વ્યાપતો. કર્મના ઉદય પ્રમાણે રાગદ્વેષ કરવા પડે– એમ અજ્ઞાની માને છે, પણ ભાઈ! કર્મ ક્યાં તારી પર્યાયમાં વ્યાપે છે? તારી રાગદ્વેષ પર્યાયમાં તું જ વ્યાપ્યો છો. જુઓ, આ સમજતાં પરથી ભેદજ્ઞાન થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com