Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૧૧, રવિ ૨૫-૧-૫૩
પ્ર. -૫૦
દ્રવ્યસ્વરૂપસત્તા, ગુણસત્તા, પર્યાયસત્તા-એમ ત્રણ પ્રકારે સત્તા છે. શેય જ્ઞાનમાં જાણવા લાયક વસ્તુ છે. તેને જેમ છે તેમ જાણવું તે જ્ઞાનનો ધર્મ છે. આત્મા જ્ઞાનવડે પોતાના તથા પરના દ્રવ્યગુણ-પર્યાયને જેમ છે તેમ જાણે છે ને શેયનો જ્ઞાનમાં જણાવાનો સ્વભાવ છે.
આ જગત જ્ઞાનમાં જણાવા યોગ્ય વસ્તુ છે. તેમાં દ્રવ્યસ્વરૂપની વાત કરે છે. ચૈતન્ય ચૈતન્યરૂપે અને જડ જડરૂપે દ્રવ્ય છે, અનંતા ગુણો જેમ છે તેમ જ્ઞાન જાણે તથા ત્રીજો બોલ પર્યાયસત્તાનો છે. આત્માનો સ્વભાવ જાણવાનો છે. પર્યાય સત છે તેને જ્ઞાન જાણે. પરમાણુની સુગંધ કે દુર્ગધપર્યાયને જ્ઞાન જાણે. સારા-નરસાપણું પર્યાયમાં નથી. જ્ઞાનમાં કેવળજ્ઞાનની પર્યાય સત્તા ખ્યાલમાં આવી માટે કેવલી આદરણીય છે, એવો જ્ઞાનસ્વભાવ નથી તેમ જ શેયસ્વભાવ પણ તેવો નથી. પ્રતિમાની પર્યાય જડની પર્યાય છે એમ જ્ઞાન જાણે. ય એમ કહેતું નથી કે મને આદર, ને જ્ઞાન પણ અમુક પર્યાય છે માટે આદરવા જોગ છે-એમ જાણતું નથી. મુનિની પર્યાય સતરૂપે છે, કેવળજ્ઞાનીની પર્યાય સત છે એમ જ્ઞાન જાણે છે, પણ તે પર્યાય આદરણીય છે-એમ જ્ઞાન ન જાણે. મિથ્યાત્વની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો-તે બધી જાણવા યોગ્ય છે. જ્ઞાની બીજાના મિથ્યાત્વપર્યાયને જાણે, પણ ઇષ્ટ-અનિષ્ટપણું જ્ઞાનમાં નથી તેમ જ શેયમાં પણ નથી. આ કસ્તૂરી છે માટે ઈષ્ટ છે, વિષ્ટા છે માટે અનિષ્ટ છે–એમ ઇષ્ટ-અનિષ્ટપણું કરવું તે જ્ઞાનનો સ્વભાવ નથી, તેમ જ યોનો પણ એવો સ્વભાવ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com