Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૯]
[૩૯ દીક્ષા લીધા પછી ઋષભદેવ ભગવાને હજાર વર્ષે, બાહુબલિજીએ એક વર્ષે ને ભરત ચક્રવર્તીએ બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. કોઈને દેશે ઉણા કરોડ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી કેવળજ્ઞાન થયું અથવા કોઈને ઘોર ઉપસર્ગ પછી કેવળજ્ઞાન થયું તો તેમાં ક્યું સારું? તો કહે છે કે બધાયએ એક જ પ્રકારે કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું છે, તેમાં વિષમતા નથી.
આ માણસને ઘણા સમયથી આટલું સમજાવ્યો છતાં ન સમજ્યો માટે અઠીક, બીજો માણસ ક્ષણમાં સમજી ગયો માટે ઠીક-એવી વિષમતા જ્ઞયને જ્ઞયપણે જાણનારને રહેતી નથી.
અનંત કાળ પહેલાં સિદ્ધ થયા તે વધુ સુખી, અને મોડા સિદ્ધ થયા તે થોડા સુખી-એમ હશે? નહિ. સ્વભાવ પૂર્ણ થયો તે અપેક્ષાએ બધા સરખા જ છે. જ્ઞાની ક્યાંય કોઈને, કોઈ પ્રકારે આડુંઅવળું કરવા માગતો નથી. જ્ઞાનમાં પરનો ફેરફાર કરવાનો સ્વભાવ નથી. કોઈ માને કે તીવ્ર રાગ છે તેને મંદ કરું, પણ તે શી રીતે બને? તીવ્ર રાગના સમયે તીવ્ર જ છે, બીજે સમયે તો વ્યય થશે જ, જ્ઞાન કરે શું? જેમ જ્ઞય છે તેમ એને માત્ર જાણવાની તાકાત જ્ઞાનની છે, બીજું કાંઈ જ્ઞાનમાં નથી. અહો ! જાણવામાં જાણવું જ આવે છે. અશુભ રાગ થયો તો આમ કેમ? એવું જ્ઞાનમાં નથી, તે તો માત્ર છે. શુભરાગ થયો તો આમ કેમ? એવું જ્ઞાનમાં નથી, તે તો માત્ર છે. એમ જાણે એ જ સુખી થવાનો ઉપાય છે.
શયમાં આમ કેમ કે તેમાં કાંઈ કરવું એવો જ્ઞાનનો સ્વભાવ નથી. મિથ્યાજ્ઞાનનું જગતમાં કોઈ શંય નથી, કેમકે મિથ્યાદષ્ટિ માને છે તેવું ય વિશ્વમાં નથી. મિથ્યાત્વી માને છે કે મને નિમિત્તથી લાભનુકશાન થાય છે, કર્મથી રાગ-દ્વેષ થાય છે–તો તેવું વસ્તુસ્વરૂપ નથી માટે મિથ્યાજ્ઞાનનો જગતમાં કોઈ વિષય નથી. જેવું શૈય છે તેવું જાણે તો તે જ્ઞાન સમ્યક છે.
બધું સત્ છે એમ જાણ્યું તેમાં વીતરાગતા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com