Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૬ ]
[ ૨૯૧ તેનાં શેયો છે. આમ સમજે તેને પરથી ભિન્નતા થઈને આત્માનો અનુભવ થાય છે.
દ્રવ્ય અવસ્થા મુખ્ય છે મૂળ ચીજ ન હોય તો તેના શક્તિરૂપ ગુણ અને તેની પર્યાયનું નક્કી ન થાય. જો આત્મા, પરમાણુ વગેરે પદાર્થ સ્વશક્તિવાનપણું ન ધરે તો ગુણ-પર્યાયપણું સાબિત ન થાય. ગળપણ હોય અને તેને ધારણ કરનાર પદાર્થની સત્તા ન હોય તો તેનું વસ્તુપણું ન હોય. દ્રવ્યઅવસ્થારૂપ કાયમી ચીજ વિના (આધારરૂપ વસ્તુ વિના) ગુણ ન હોય. જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય જ એવું છે કે જેમ છે તેમ સ્વ-પર શેયનું દ્રવ્ય-ગુણ-પર્યાયથી અવસ્થિતપણું જાણે. વસ્તુ છે તે તેના જ ગુણ-પર્યાયને વ્યાપાર છે, તે કોઈ બીજાને લઈને નથી. જ્ઞાન સ્વ-પર શેયને જાણે અને શેયમાં જાણવાયોગ્યપણું છે. વસ્તુ છે તે તેના ગુણ-પર્યાયમાં વ્યાપક છે. રાગપર્યાય છે તેનો આધાર આખો ગુણ તે ચારિત્ર છે. પર્યાયરૂપ રાગ અંશનું તે ચારિત્રગુણમાં વ્યાપવું છે, કોઈ કર્મ કે નિમિત્તનું તેમાં વ્યાપવું નથી. આમ દરેકનું સ્વતંત્રપણું છે. જે કોઈ સંસારપર્યાય નિમિત્તથી થયો જાણે છે તેણે આત્માનું પોતાના ગુણપર્યાયમાં સ્વતંત્રપણે વ્યાપવું માન્યું નહિ.
કેવળી ભગવાનની સમીપે ક્ષાયિક સમકિતની પર્યાય ઊઘડે, ત્યાં જ્ઞાની જાણે છે કે મારા શ્રદ્ધાગુણની પર્યાયમાં મારું વ્યાપવું છે, બીજાથી તેનું વ્યાપવું થયું નથી. શરીરની નગ્નદશા થઈ તેને જ્ઞાન જાણે છે કે તે શરીરની પર્યાયનો આધાર-કારણ તે પરમાણુ દ્રવ્ય છે, તેથી પરમાણુ જ તે પર્યાયનો કર્તા અને વ્યાપક છે. પરવસ્તુ તો જ્ઞાનનું માત્ર છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ નથી, કેમકે એવો પદાર્થનો સ્વભાવ જ નથી. જે પરવસ્તુથી સુખ-દુ:ખ કે રાગ-દ્વેષ થવા માને છે તે મૂઢ છે. જે કોઈ પદાર્થ છે તેમાં તેના ગુણ-પર્યાય વ્યાપ્યા છે. તેને જાણવા સિવાય જ્ઞાનની બીજી કોઈ તાકાત નથી. કોઈ યમાં ઇષ્ટ-અનિષ્ટપણાની છાપ મારેલી નથી, પણ તે માત્ર જણાવાયોગ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com