Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨]
[ શ્રી અનુભવ પ્રકાશ દ્રવ્યને નક્કી કર્યા પછી ગુણની અવસ્થાનું અસ્તિત્વ નક્કી થાય. સ્વભાવવાન છે તો તેનો સ્વભાવ શું છે તેમ જાણી શકાય છે. ગુણ વિના ગુણી ન હોય. બીજાથી જુદાપણું ગુણવડ-સ્વભાવવડે નક્કી થાય
દરેક પદાર્થ ગુણોનો સમુદાય છે. છે તે કોઈ પરથી હોઈ શકે નહિ. છે તેનો કોઈ ઈશ્વર-ઉત્પાદક, રક્ષક કે નાશક નથી. દરેક પદાર્થ પૃથક પૃથક છે. નિમિત્ત છે તે જુદી ચીજ શેયરૂપે છે. નિમિત્ત છે તો મને જ્ઞાન થાય કે રાગ થાય એમ માનનારે વસ્તુસ્થિતિ જાણી નથી. જ્ઞાની કહે કે “નિમિત્તથી લાભ-નુકશાન ન થાય એવો સ્વભાવ છે,” ત્યાં અજ્ઞાની કહે કે “તમે નિમિત્તને માનતા નથી, નિમિત્તથી લાભ-નુકશાન થાય એમ માનો તો તમે નિમિત્તને માન્યું કહેવાય !” પણ એ વાત જૂઠી છે.
વસ્તુમાં પર્યાયધર્મ છે તેથી તેમાં સમયે સમયે પરિણામ થાય છે. જો પર્યાયઅવસ્થા ન હોય તો વસ્તુ પરિણમે કયાંથી? વસ્તુ પોતે પોતાના પર્યાયધર્મથી જ પરિણમે છે, પરને કારણે પરિણામ થતા નથીઆવી તત્ત્વની મર્યાદા છે. અરે જીવ! તું ધીરો થા, ધીરો થઈને તત્ત્વની મર્યાદાને જાણ, તો જ શાંતિ થશે ને દુઃખ મટશે. આ સિવાય બીજા ઉપાયથી શાંતિ થાય તેમ નથી. પર્યાય થવાનો ધર્મ વસ્તુમાં છે. સંસારપર્યાય થવાની લાયકાત જીવમાં છે. જો જીવમાં તે લાયકાત ન હોય તો શું કર્મ કરાવી ઘે? અને શિષ્યમાં જ્ઞાન થવાની લાયકાત ન હોય તો શું ગુરુ તેને આપી ઘે? કોઈના કારણે કોઈની પર્યાય થાય નહિ, શિષ્ય તેના પર્યાયધર્મથી જ જ્ઞાનપણે છે, ને જીવ પોતાની પર્યાયથી જ સંસાર કે મોક્ષપણે પરિણમે છે. વળી નિર્દોષ આહારને લીધે જીવને મુનિપણું ટકી રહે છે એમ પણ નથી.
ક્ષણે ક્ષણે નવી નવી પર્યાયપણે થવું તે પણ પદાર્થનો અવસ્થાધર્મ છે, કોઈ બીજી ચીજને લઈને નથી. માટીમાંથી ઘડો થાય છે, ત્યાં માટીમાં તેવી પર્યાયઅવસ્થા છે. કુંભાર તે અવસ્થાને પરિણમાવતો નથી. તે તે પર્યાયમાં ટકવું એવો વસ્તુનો અવસ્થાધર્મ
Please inform us of any errors on [email protected]