Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૧ ]
[૨૬૫ અનુસાર ફળ છે. ૫૨ને ભોગવી શકતો નથી. ધનાદિ કોઈ ચીજને જીવ મેળવી શકે નહિ, આપી શકે નહિ, નાશ કરી શકે નહિ, કેમકે તો પુદ્દગલના પર્યાય છે. દરિદ્રાદિ ક્રિયા જડના કારણે છે, જીવના કારણે નથી. ચાલવું, બેસવું, બોલવું, જીવની ક્રિયા નથી, જીવની ઇચ્છાને આધીન નથી, જીવ પ્રે૨ક નથી. શુભ-અશુભ ઇચ્છા કરવી તે ત્રિકાળી સ્વભાવનું કાર્ય નથી, ક્ષણિક વિકારનું કાર્ય છે. જ્ઞાતામાત્રપણું ભૂલી, ‘હું દેહ છું, કર્તા-ભોક્તા છું.' એમ અજ્ઞાની માને છે. કાયોત્સર્ગ કરી શરીરને સ્થિર રાખી શકું એમ માને તે મિથ્યાદષ્ટિ છે.
પરથી જુદાનું ભાન કરી એકલો જ્ઞાતા રહી, અંદર આનંદ કરવો તે ધર્મની ક્રિયા છે અને પુણ્ય-પાપ, રાગ-દ્વેષના ભાવ કરવા, પરનું કર્તા-ભોક્તાપણું માનવું તે અજ્ઞાનનું કાર્ય છે. આત્મા તે કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ. જુઓ, આમાં સ્પષ્ટ કહેલ છે કે બોલવું, ચાલવું, લડવું, ચડવું, ઊતરવું-એ આત્મા કરી શકતો નથી પણ તે જડની પર્યાય છે. તેને જડ-પુદ્દગલ કરે છે.
ખેલવું, ગાવું, બજાવવું વગેરે જેટલી ક્રિયા છે તે સર્વ પુદ્ગલનો ખેલ જાણો, રાગ-દ્વેષમય પુણ્ય-પાપના વિકલ્પ તે અધર્મની ક્રિયા જાણો અને શરીર વગેરેથી જુદો તથા ક્ષણિક વિકારથી જુદો ત્રિકાળ જ્ઞાનાનંદ છું–એમ જાણવું અને આનંદનું વેદન કરવું તે એક જ ધર્મની ક્રિયા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com