Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૩-૪ રવિ ૧૮-૧-૫૩
પ્ર. -૪૩
આત્માના અનુભવમાં શું પ્રગટ થાય અને શું છૂટી જાય તેની વાત ચાલે છે. રાગાદિ તે આત્માથી પર છે, તેથી આત્માના અનુભવમાં તે છૂટી જાય છે. જ્યારે જીવ શુદ્ધ આત્માનું ભાન કરીને રાગાદિને નિજસ્વરૂપ ન માને ત્યારે ભવપદ્ધતિ છૂટે છે. રાગરહિત શુદ્ધ દર્શનજ્ઞાન-ચારિત્રને નિજસ્વરૂપ જાણીને ગ્રહણ કરે તે મુક્તિનું મૂળ છે. પરિણામને જે તરફ વાળે તેવા થાય છે. જો સ્વભાવમાં અંતર્મુખ વાળે તો તે પરિણામમાં ધર્મ થાય છે ને રાગાદિ પર તરફ વાળે તો વિકાર થાય છે. સ્વભાવ વસ્તુ પડી છે, તેમાં અંતર્મુખ અવલોકન કરે તો મુક્તિ થાય, ને પરવસ્તુ તરફ વળે તો સંસાર થાય. પોતે જે તરફ પરિણામ વાળે તે તરફની દશા થાય છે. પોતે સ્વતંત્ર છે, માટે પરને છોડીને પરિણામને નિજસ્વરૂપમાં લગાવો. ઉત્પાદ-વ્યય-ધ્રુવ પગુણવૃદ્ધિહાનિ, અર્થક્રિયાકારીપણું પરિણામથી જ સાધ્ય છે, પોતાના પરિણામ પોતાને આધીન છે. માટે સ્વભાવ તરફ પરિણામ વાળ એમ કહે છે. -એ પ્રમાણે અનુભવનું વર્ણન પૂરું કર્યું.
હવે દેવ અધિકાર કહે છે. આત્માના અનુભવની આવી વાત કરનાર સર્વજ્ઞદેવ છે. તારા પરિણામને સ્વ તરફ વાળ તો મુક્તિ થાય ને પર તરફ વાળ તો સંસાર થાય એવું કહેનાર સર્વજ્ઞ પરમાત્મા તે દેવ છે. તેવા. સર્વજ્ઞને ઓળખવાથી પરમ મંગળરૂપ નિજાનુભવ પમાય છે. નિમિત્ત તરીકે એમ કહ્યું છે કે દેવથી પરમ મંગળરૂપ નિજઅનુભવ પમાય છે. પણ ખરેખર તો પોતે જ્ઞાનસ્વભાવને ઓળખીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com