Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માહ સુદ ૧, શુક્ર ૧૬-૧-૫૩
પ્ર. -૪૧
સ્વાનુભવનો મહિમા
આ અનુભવ-પ્રકાશનો અધિકાર છે. આત્મા આનંદસ્વભાવી વસ્તુ છે તેની પ્રતીતિ અને જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા વડે તેનો અનુભવ થાય છે, તે અનુભવના મહિમાનું આ વર્ણન ચાલે છે. પોતાના ધ્રુવસ્વભાવના અવલંબન સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મ થતો નથી. આત્મા બહારના લોકથી જુદો જ છે. આત્માનો જ્ઞાન-દર્શન–આનંદ વગેરે અનંત ગુણમય સ્વભાવ છે, તે તેનો લોક છે. તેનાથી આ બહારનો લોક જુદો જ છે. એવા આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને તેનો અનુભવ કરવો તે ધર્મ છે. બહારના સંયોગ-વિયોગ તો તેના કાળે તેના કારણે થયા કરે છે, તેના આધારે કાંઈ ધર્મ નથી, અંતરના સ્વભાવની સન્મુખ થઈને તેનો અનુભવ કરવો તે જ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
આત્માના અનુભવ વગરનાં બધાં કાર્યો વિઘ્ર સમાન જ છે. ચિદાનંદ સ્વભાવ પોતે નિર્વિધ્ર છે. તેનો જેને અનુભવ નથી તેને પોતામાં વિધ્રભાવ છે. ભલે બહારના કાર્યો વિધ્રરહિત પતી જાય તોપણ તે વિધ્ર જ છે. બહારના કર્યો તો થવાયોગ્ય થશે, પણ અંતરમાં પોતાના સ્વભાવને અવલોકયા વિના આત્માનું વિધ્ર ટળે નહિ. જ્ઞાન-આનંદ સ્વભાવના સંવેદન વગર પરમેશ્વરની કથા પણ જૂઠી છે. પરમેશ્વર તો પોતાનો આત્મા છે. તેના ભાન વિના બહારમાં જેટલા વિકલ્પો ઊઠે તે બધા જૂઠા છે-તે આત્માને ઉપકારી નથી. વળી ચૈતન્યના અંતરવેદન વગર બાર પ્રકારની તપસ્યા તે પણ જાઠ છે. વળી તીર્થસેવન પણ અંતરના અનુભવ વગર જૂઠું છે. અંતરમાં નિર્મળ ગુણોથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com