Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦]
[ શ્રી અનુભવ પ્રકાશ ને ધર્મ પણ નથી, તૃષ્ણા મંદ કરે તો પુણ્ય થાય છે પણ ધર્મ થતો નથી. એક પરમાણુ કોઈ આપી શકે કે ફેરવી શકે તે માન્યતા અજ્ઞાનીની છે. પૈસા રૂપી છે, આત્મા અરૂપી છે, છતાં અજ્ઞાની પોતાને લક્ષ્મી આદિનો સ્વામી માને છે.
જેમ રાજા કિંકરનો સ્વામી છે છતાં એ કિંકર ભોજનથી તૃપ્ત થવાથી રાજા એમ કહેતો નથી કે “હું ધરાયો.” તારી આવી ચાલ તને જ દુઃખદાયક છે. જડની ક્રિયા થાય ત્યાં માને કે આ પૈસા મેં આપ્યા, મેં લાડવા ખાધા, મેં કપડાં પહેર્યા, મેં ભોગ ભોગવ્યા –એમ માની જડનો સ્વામી થાય છે. જડ ને ચેતન જુદા છે એવું ભાન નથી તેને પરનું અભિમાન થાય વિના રહે નહિ. પરની અવસ્થાથી મારી અવસ્થા થઈ એમ માને છે. આત્મા વિના વાણી નીકળે ? એમ પ્રશ્ન કરે છે. વાણી પુદ્ગલ છે, તે આત્માની નથી. તું જા, તારી આવી ચાલ તને જ દુ:ખદાયક છે.
પ્રશ્ન :- અત્યારે તો દુઃખદાયક દેખાતી નથી.
સમાધાન :- હરખ સન્નિપાતવાળો હસતો દેખાય છે પણ તે દુઃખી છે. તેમ પૈસા, બૈરાં-છોકરાંથી પોતે સુખી નથી છતાં હરખ માને છે તે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનો ત્રિદોષ (સન્નિપાત) છે. રાજા દુઃખી છે, રંક દુઃખી છે ને ત્યાગી નામ ધરાવી શરીરની ક્રિયા મારાથી થાય ને મહાવ્રતના પરિણામથી લાભ થાય તેમ માનતો હોય તો તે પણ દુઃખી છે, મિથ્યાત્વથી દુઃખી છે. રાગ, વિકલ્પ કે દયા-દાનાદિભાવ આસ્રવ છેઝેર છે, દુઃખદાયક છે, તેને સુખદાયક માને છે તેથી દુઃખી છે.
જો વસ્તુ સુંદર હોય તો પણ તેને ઉપરથી જ અંગીકાર ન કરવી. શરીર માટી છે, અપવિત્ર છે, કાન, નાક, આંખ વગેરે નવ દ્વાર દ્વારા મેલ નીકળે છે. જે દેખતાં જ ગ્લાનિરૂપ છે. અંદર સુંદર હોય તો બહારમાં બૂરું કેમ પડયું છે? અજ્ઞાનીને ભાન નથી. શરીર બહાર ને અંદર ખરાબ છે, નહાતી વખતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com