Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
ચારિત્ર બાહ્યથી પ્રગટતું નથી. ચારિત્ર પ્રગટાવવું હોય તેનો વ્યવહાર કેવો હોય? તે મુનિને પંચમહાવ્રતના વિકલ્પમાં રહેવાનો ભાવ નથી. દેહ, મન, વાણીની ક્રિયામાં પ્રેમ નથી. તેવા જીવને સ્વદ્રવ્યના આશ્રયે ચારિત્ર પ્રગટે છે. આહાર-પાણી સારા મળે તો પરિણામ સારા થાય એમ માનનાર અજ્ઞાની છે. આહારાદિની ક્રિયા જડની છે. તેમાં તેને પ્રેમ નથી. ચારિત્ર પ્રગટ કરવાના કામીને બહારનાં કામમાં પ્રેમ નથી, સ્વભાવનું અવલંબન થયું છે ને જેમ જેમ રાગનો અભાવ થાય છે તેમ તેમ જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિરતા વધે છે. આમ વિશ્રામપદ મળ્યું. પરાશ્રયમાં તો રાગનો થાક હતો તે સ્વરૂપને અવલંબીને વિશ્રામ મળ્યો. ભવનો પ્રેમ હતો તે છૂટી ગયો ને પોતાનું સ્વરૂપધામ મળ્યું. તેમાં સ્થિરતા કરે તે ચારિત્ર છે. તે ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે ને તે ચારિત્રથી કેવળજ્ઞાન પ્રગટે છે. જ્ઞાયકના અવલંબને જે અકષાય દશા પ્રગટે તે ચારિત્ર છે.
આ પ્રમાણે સમ્યગ્દષ્ટિને વિરતિ-વ્યવહાર પરિણતિ સાધક છે ને ચારિત્રશક્તિ મુખ્ય સાધ્ય છે.
(૬) “જ્યાં દેવ-શાસ્ત્ર-ગુરુમાં ભક્તિ, વિનય, નમસ્કારાદિ ભાવસાધક છે ત્યાં વિષયાદિ ઉદાસીનતામાં પરિણતિની સ્થિરતા સાધ્ય છે. ”
સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનાં ભક્તિ, વિનય, બહુમાન કરવા વગેરે પ્રકારનો વિકલ્પ સાધક છે ને સંસારના અશુભભાવથી ઉદાસીનતા થવી તે સાધ્ય છે. સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનો ભક્ત કેવો હોય ? તે કેવા દેવની ભક્તિ કરે ? જેની ચેતનાશક્તિ પૂર્ણ પ્રગટી છે એટલે કે સર્વજ્ઞ સર્વદર્શીશક્તિ પ્રગટેલ છે તે અર્હત દેવ છે, અનંતા ગુણો પ્રગટી ગયા તે સિદ્ધ છે તેને દેવ કહે છે. ધર્મી જીવ તેમની તથા તેમની પ્રતિમાની પૂજા તથા સેવા કરે છે. તેમના પ્રત્યે મનમાં પરિપૂર્ણ પ્રીતિ છે. કુટુંબ, બૈરાંછોકરાં ને દુકાન પ્રત્યે પ્રીતિ ઘટાડીને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે પરિપૂર્ણ પ્રતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com