Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
[ શ્રી અનુભવ પ્રકાશ થાય, દીકરા મળે, દેવીઓને નીચે ઉતારે-તે તેનું ફળ નથી. ભાવશ્રુતનું ફળ કેવળજ્ઞાન છે. ભાવશ્રુતજ્ઞાન થતાં ક્રમે ચારિત્ર પૂરું થાય છે ને કેવળજ્ઞાન થાય છે. જેને શાસ્ત્રની ખબર નથી, આત્મા શું ? દ્રવ્ય શું ? રાગ શું? સ્વભાવ શું? તેની ખબર નથી, તેને ધર્મ થતો નથી. તેના વ્રત, તપ મીંડાં સમાન છે.
(૪૩) “ચેતનમાં ચિત્ત લીન કરવું સાધક છે, અનુભવ સાધ્ય છે.” આત્મામાં આનંદનો અનુભવ કેમ થાય ? શાંતિનો અનુભવ કેમ થાય? વિવેક દ્વારા પોતાના ચિત્તને ફેરવીને જ્ઞાનમાં લીન કરે તે સાધન છે ને આનંદનો અનુભવ કરે તે સાધ્ય છે.
(૪૪) “અનુભવ સાધક છે ને મોક્ષ સાધ્ય છે.” આત્માને અનુસરીને આનંદનો સ્વાદ લેવો સાધક છે તે પૂર્ણ દશા થવી તેનું ફળ છે, કારણ કે અધૂરી અનુભવદશા ટાળીને મોક્ષ થાય છે.
(૪૫) “નયભંગી સાધક છે તે પ્રમાણભંગી સાધ્ય છે.” નિશ્ચયનયે આત્મા ત્રિકાળ શુદ્ધ છે ને વ્યવહારનયે પર્યાયમાં અશુદ્ધ છે, દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે ને પર્યાય અભૂતાર્થ છે, ને નયભંગી છે. તેનું ફળ પ્રમાણ છે. આખા દ્રવ્યને સિદ્ધ કરવું તે છે. કોઈવાર અતિને મુખ્ય કરેલ હોય તે નાસ્તિને ગૌણ કરેલ હોય, છતાં આખી વસ્તુને પ્રમાણથી ખ્યાલમાં લેવી તે ફળ છે.
સ્યાતઅસ્તિ, સ્યાનાસ્તિ, સ્યાઅસ્તિનાસ્તિ, સ્યાત-અવક્તવ્ય, સ્યાઅસ્તિવિક્તવ્ય, સ્યાનાસ્તિવિક્તવ્ય, સ્યાત-અસ્તિનાસ્તિ અવક્તવ્ય-એ સાતે ભંગોનું ફળ અખંડ આત્માને સિદ્ધ કરવો તે છે. એકલા નયભંગોમાં રોકાવું તે નયનું પ્રયોજન નથી.
(૪૬) “પ્રમાણસમભંગી સાધક છે ને વસ્તુસિદ્ધિ કરવી સાધ્ય છે.” શ્રુતજ્ઞાનના એક પડખાને નય કહે છે, ને આખા શ્રુતજ્ઞાનને પ્રમાણ કહે છે. આત્મા અસ્તિનયે અસ્તિ છે ને નાસ્તિનવે પરથી નહિ હોવારૂપ છે. આમ ભંગોનું જ્ઞાન કરાવી આખા પ્રમાણનું જ્ઞાન કરાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com