Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮]
[ શ્રી અનુભવ પ્રકાશ વંત જીવો-તીર્થકર, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી વગેરેની ઘણી ઋદ્ધિ હતી, તારી પાસે તો અલ્પ ઋદ્ધિ છે. છતાં તું તેમાં રોકાઈ ગયો છે. પરિગ્રહુ પરાણે-બળજરીથી રાગ કરાવતો નથી. પરિગ્રહું ગમે તેટલો હોય તે વિકાર કરાવતો નથી, તે કાંઈ કહેતો નથી. આ જીવ દોડી દોડી મફતનો તેમાં ઝૂકી પડે છે.
ચોથા કાળે દાગીના, કપડાં વગેરેનો પાર ન હતો, છતાં આત્માનું ભાન કરી ધર્મ કરતા. અહીં તો સંયોગોનાં ઠેકાણાં નથી, છતાં ધર્મ માટે વખત મળતો નથી એમ તું કહે છે. બૈરાં-છોકરાં, પૈસા પરાણે કહેતા નથી કે તું અમારા તરફ જો, પણ અજ્ઞાની જીવ દોડી દોડી સંયોગોના વલણમાં જાય છે.
દેશકથા, રાજકથા વગેરેની કથા માંડે પણ સ્વરૂપની કથા કરે તો કોણ રોકે? કર્મ રોકયો એવી વાત કરી નથી. સ્ત્રીની કથા માંડે, આવા દાગીના કરવા વગેરે વિચાર કરે, પણ સ્વરૂપનો વિચાર કરે તો કોણ રોકે? આત્માના સ્વરૂપમાં પરિણામ કરે તો કોઈ રોકતું નથી, બૈરાંછોકરાં રોકતા નથી. અજ્ઞાની વિકથામાં જોડાય છે, પણ આત્મકથામાં જોડાતો નથી. અધ્યાત્મની વાતને કઠણ માને છે, તેની રુચિ વિષયકષાયમાં છે. નવરો થાય તો વિકથા કરે. પરપરિણામ સુગમ માને છે, બૈરાં-છોકરાં વગેરેના વિચાર કરવા સહેલા બતાવે છે ને આત્માના વિચાર કઠણ બતાવે છે. એકવાર હા પાડ કે આત્મામાં જ સુખ છે! પણ આત્માના પરિણામ કઠણ માને, વિષય-ભોગ લેવા સુગમ માને, દેખો અચરજની વાત! આ અધ્યાત્મની વાત સાંભળતાં માથું ફરી જાય છેએમ કહ્યું છે.
પોતે દેખે છે, જાણે છે છતાં દેખ્યો ન જાય ને જાણો ન જાયએમ કહે છે. તારી હયાતી વિના પર દેખાય નહિ છતાં આત્મા જણાય નહિ એમ તું કહે છે તો આમ કહેતાં શું લાજ આવતી નથી? શરમ આવતી નથી ? દેખનારો ને જાણનારો ન હોય તો આ બધું કેવી રીતે જણાય? આ બધું પોતાના જ્ઞાનપ્રકાશમાં જણાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com