Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૮]
[૨૪૧ આંધળો થઈ પુણ્ય-પાપની રુચિમાં દોડ્યો. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે તેની તેને ખબર નથી.
હવે સત્સંગ મળ્યો, સાંભળવાનું મળ્યું, પોતાની ઋદ્ધિ પોતામાં છે, બહારની રૂચિ છોડી અંતર અવલોકન કર. વિકાર આત્માનું સ્વરૂપ નથી. ભવ મેળવું કે પુણ્ય કરું તો ધર્મ પામું એવી વાસના છોડ. પોતે પોતાથી પામે, પરમાં પોતે નથી ને પરથી પામતો નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન લક્ષણ છે ને આત્મા લક્ષ્ય છે. એમ લક્ષણ દ્વારા આત્માને જાણે કે જ્ઞાન તે જ હું છું, રાગ, શરીર, મન, વાણી તે હું નથી. શુભાશુભ ભાવ થાય ખરા, પણ તે મારું સ્વરૂપ નથી. જેટલી શક્તિ પરમાત્મામાં છે તેટલી શક્તિ મારામાં છે–આમ ચિંતવન કરવાથી પોતાની રાગ રહિત અવસ્થા વધારે, બીજાનું ચિંતવન છોડ ને પોતાનું ચિંતવન કરે. પોતામાં વીતરાગતા વધારે. આનું નામ અનુભવપ્રકાશ છે.
હું આત્મા અનાકુળ શાંત છું, મારો ભોગવટો મારી પાસે છે, વિકારનો ભોગવટો મારો ખરો ભોગવટો નથી-એમ રુચિ કરી વિશેષ સ્થિરતા કરે તો સ્વરસને પામે ને કર્મબંધન મટી જાય. આટલાં તપ કરે તો કર્મ મટે એમ કહ્યું નથી.
જ્ઞાનની વર્તમાન પ્રગટ દશા અલ્પ છે પણ અલ્પનો આધાર અલ્પ નથી. ત્રિકાળી શક્તિનો આધાર છે. પોતે ભગવાન આત્મા છે તેની રુચિ ને જ્ઞાન કરે તો સ્વરસ પામે ને કર્મબંધ મટે.
જેટલાં જ્ઞાન ને વીર્ય ખૂલેલાં છે તેને અંતરમાં લગાવે ને પ્રધાન જ્ઞાનગુણ ને તેની પરિણતિનું ધ્યાન કરે તો સુખ થાય. વિકારને ધ્યાવવાનું કહ્યું નથી.
લોકો બાહ્ય ઉપવાસાદિમાં ધર્મ કહે છે પણ તેમાં ધર્મ નથી. ગુણી આત્માનું ભજન કરે તો ધર્મ થાય તેમ છે. આત્માને ધ્યાવે તો રાગદ્વેષ રહિત થઈને અંદર સ્થિર થાય ને સ્વરસનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com