Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૮]
[૨૪૩ છે. અહીં કહે છે કે અંદર અરૂપી મોટો દાગીનો છે તેને અવલોક. તે તરફ ઉપયોગ લગાવે તો શુદ્ધ ઉપયોગ થાય, પરનો ઉપયોગ ન થાય ને દયા-દાનાદિનો તથા નિમિત્તનો વિયોગ થાય. વસ્તુ સ્વાભાવિક છે તેને જાણે. અનાદિ અનંત વસ્તુસ્વરૂપની વાત છે. પોતે ત્રણ લોકનો નાથ છે. પ્રસિદ્ધ છે એવા આત્માને નાથ કરે તો ત્રણ લોકનો નાથ પ્રગટરૂપે થાય છે. બ્રહ્મા, ઈશ્વર, શંકર બધા રૂપ પોતે છે. તેની શ્રદ્ધા કરે તો પ્રગટ દશા થાય. આ વાત પ્રસિદ્ધ છે. આત્મા શત્રથી છેદાય નહિ, અગ્નિથી બળે નહિ, પવનથી સૂક્ષ્મ છે, હાથ વડે હાથે આવે એવો નથી, છતાં જ્ઞાનથી જાણી શકાય એવો છે. દરેક આત્મા પોતાના સ્વરૂપથી પ્રસિદ્ધ છે. પોતાના સ્વરૂપનો પ્રેમ કરી પોતાના પરિણામને ધારણ કરે તો વીતરાગભાવનો મર્મ પામે. રાગ સાથેની એકતા તોડવાનો દાવ મળ્યો. તારી ઋદ્ધિ અંદર પડી છે. આવો ઉપાય મળવો મુશ્કેલ છે. ઇન્દ્રપદ મળે, શેઠાઈ મળે, રૂપિયા મળે, બધું ધૂળધાણી છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન-રમણતાનો ઉપાય મળવો મુશ્કેલ છે. અનંત કાળે નહિ કરેલું એવું કર-એ સિવાય ભવફંદ મટે નહિ, માટે જેનાથી ભવફંદ મટે એવો ભાવ ધારણ કરો.
માનના થાંભલાને મટાડ અને શરીરે મોટા, રૂપે મોટા, બોલવામાં મોટા, પુણે મોટા-એવા માનને મટાડ. ચિદાનંદ પ્રભુને જોતાં માન ગળી જાય છે. એકવાર જ્ઞાનજ્યોત ઉઘાડ ને કુટિલતાની જાળને બાળી નાખ. સ્વભાવની અરુચિ ને પરની રુચિરૂપી ક્રોધની અગ્નિને ઓલવ-બૂઝાવ. જેમ પાણીમાં તરંગ ઊઠે તેમ લોભના તરંગ ઊઠે છે. બે લાખ રૂપિયા થાય તો પાંચ લાખનો લોભ કરે. તે બધા તરંગ મટાડ ને સ્વભાવમાં લીનતા કર.
વસ્તુ ત્રિકાળ છે. તેને જોવાનો પ્રયત્ન કર. વિષયભાવનાને ન ભાવ. હું ચિદાનંદ રાજા! તારું પદ દેખ, દેખ. જેના પ્રકાશમાં લોકાલોક જણાય એવું પદ દેખ, પોતાના પદને શોધ. પર્યાયને અંતર વાળીને અંદર દેખો. આખી વસ્તુની સત્તા કેવી રીતે છે? “છે” એ વર્તમાન પૂરતું છે કે કાંઈ ત્રિકાળી છે? તેનો પત્તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com