Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૭]
| [ ૨૩૭ “આત્માના આનંદની વાત કરો છો તે કઠણ લાગે છે”- એમ માનનારનું વીર્ય આત્મા તરફ વળી શકે નહિ. “પરની દયા પાળવી, વ્રત પાળવાં, આ ખાવું કે આ ન પીવું વગેરે સહેલું લાગે છે પણ નિશ્ચયની વાત પકડાતી નથી.” એમ કહી સ્વરૂપને કઠણ માને છે. તેણે સ્વરૂપમાં આડ મારી છે. “નિશ્ચય તો સાતમે ગુણસ્થાને હોય” એમ કેટલાક માને છે તે ભૂલ છે. એક સમયનો વિકાર છે ને સ્વભાવ ત્રિકાળી વિકાર રહિત છે. હવે જો વિકારમાં માન્યતા રોકાઈ ગઈ તો
સ્વભાવસમ્મુખ કામ કરશે નહિ. વિકારને જાણશે, માનશે અથવા ત્યાં વીર્ય અટકી જશે તેથી તે બહિરાત્મા છે. અંતસ્વરૂપ કઠણ માન્યું તેને
સ્વરૂપની ભાવના કે તે તરફની ગતિ રહેતી નથી, સ્વરૂપની વાત સાંભળવાની હોંશ રહેતી નથી. પ્રથમ યથાર્થ વાત રુચિપૂર્વક સાંભળ તો ખરો... એક સમયના વિકારની હોંશ તને આવે છે પણ વિકારરહિત ત્રિકાળી સ્વભાવની વાતની હોંસ આવતી નથી. તે અજ્ઞાની જીવ બાહ્ય પદાર્થોમાં–લક્ષ્મી ને રાગમાં રોકાઈ ગયો છે, તેને અંદર આવવું ગમતું નથી. ઊંધી માન્યતાનું શલ્ય રાખ્યું છે. સ્વરૂપની વાત ચાલતી હોય તોપણ તેને રુચિ ન થાય. “એ નિશ્ચયની વાત છે.” એમ કહીને તેના તરફ દુર્લક્ષ કરે છે. તું છો કે નહિ? આજના કાળે એકલું નિમિત્ત છે? એકલો રાગ છે? – આજના કાળે રાગ વિનાનો ત્રિકાળી સ્વભાવ છે કે નહિ? કઠણ માની સ્વરૂપ તરફ ઢળતો નથી તેને સ્વની ભાવના નથી, તેને સ્વરૂપની ચાહના મટી ગઈ છે. પુણ્યની, વ્રતની ને દયાની વાત કરો, દાન કરો, જાત્રા કરો વગેરે વાત રુચે છે.
પંચમ કાળનો જીવ કે જે સ્વરૂપને કઠણ કહે છે ને અંતર્મુખ જવાનું મોઘું કહે છે તેને કહે છે કે આજથી અધિક પરિગ્રહ ચક્રવર્તી આદિને હતો. તેને ૯૬, OOO સ્ત્રીઓ હતી. ચોથા કાળમાં પુણ્યનાં ફળ ઘણાં હતાં. તારે તો ૯૬, 000 નળિયાં પણ નથી. છતાં અંતરની ભાવના કરવા નવરો થતો નથી. તારી રુચિ બાહ્યમાં છે, બાહ્ય ઋદ્ધિનાં પણ ઠેકાણાં નથી. ચોથે કાળે પુણ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com