Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬]
[ શ્રી અનુભવ પ્રકાશ આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું મુખ્યપણે સ્વરૂપ કહેનારા તે દ્રવ્યાનુયોગ, મુખ્યપણે ચારિત્રની વિધિ કહેનાર તે ચરણાનુયોગ, કર્મ, લોકવિભાગ, ગુણસ્થાન આદિની સ્થિતિ બતાવનાર કરણાનુયોગ અને મહાપુરુષોનાં જીવનચરિત્ર બતાવનાર કથાનુયોગ-આમ ચારે અનુયોગને બરાબર અવગાહે તે ભાવશ્રુતજ્ઞાન છે. જે જ્ઞાનવડે આત્માને પકડે તે ભાવશ્રુતજ્ઞાન છે.
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે./ ૯ી.
(સમયસાર) અહીં કહ્યું છે કે ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને અનુભવે તેને ભાવશ્રુતકેવળી કહે છેઃ
શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે; સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે.!! ૧૦ા
(સમયસાર) અહીં કહ્યું છે કે ભગવાને કહેલા ચારે અનુયોગમાં નિજ શુદ્ધાત્મા જ આદરણીય કહ્યો છે તે વિચાર અને વિકલ્પ ઊઠે છે તેનો અભાવ કરી સમ્યજ્ઞાન પ્રગટે છે, માટે તે શ્રુતજ્ઞાને પણ આત્માને જાણ્યો.
જે રાગાદિ પરિણામ થાય તે વાણીનું ફળ નથી. સર્વજ્ઞ વાણી દ્વારા કહેલા તથા તે અનુસાર કુંદકુંદાચાર્ય, સમભદ્રાચાર્ય વગેરે આચાર્યોએ ચાર અનુયોગ કહેલા છે. તેનો સાર વીતરાગી જ્ઞાન છે અથવા ભાવશ્રુતજ્ઞાન છે. જે જીવ શાસ્ત્રમાંથી વીતરાગતા ન કાઢે તે શાસ્ત્રને સમજ્યો જ નથી.
પરાશ્રયની શ્રદ્ધા છોડી વિકલ્પરહિત થઈને આત્માને ન પકડે તો તે શાસ્ત્રને સમજ્યો નથી. આગમ કહે છે કે તારો આત્મા જ્ઞાનજ્યોત છે, દયા-દાનાદિ પરિણામ આત્મા નથી–આમ દ્રવ્યશ્રુતના અવગાહનમાં નિર્ણય કરે તે ભાવકૃતનું ફળ છે.
શ્રી સમયસાર ગાથા ૧૫ માં એમ કહ્યું છે કે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com