Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૭]
[૨૩૩ જવું ને રાગનો ઘટાડો કરવો. “ગુરુનો વિનય કરવાથી જ્ઞાન થાય.” તેમ ગાથામાં લખેલ હોય ત્યાં તાત્પર્ય “આત્માના આશ્રયે જ્ઞાન થાય” એમ સમજવું. “અમુક માણસ મરીને નરકે ગયો” એમ કથન આવે તો ત્યાં તેવા અશુભ પરિણામના ફળમાં તે જીવને સંયોગ એવો મળ્યો, પણ તેનું શાસ્ત્રતાત્પર્ય એ છે કે-તેવા પરિણામ જેટલો હું નથી, પણ નિત્ય જ્ઞાનાનંદમય આ આત્મા છે, તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરી વીતરાગતા પ્રગટ કર.
(૫૯) “નિયમ સાધક છે, નિશ્ચયપદપ્રાપ્તિ સાધ્ય છે.” કોઈ પ્રકારના નિયમ ધ્યે તેમાં રાગરહિત થવું તે પ્રયોજન છે. નિયમરૂપ આત્મા સાધક છે અને સ્વભાવની સ્થિરતા થવી, નિશ્ચયપદ પામવું તે તેનું ફળ છે.
(૬૦) “નય, પ્રમાણ, નિક્ષેપ સાધક છે ને ન્યાય, સ્થાપના સાધ્ય છે.” શાસ્ત્રકારોએ નય, પ્રમાણ ને વિક્ષેપ કહ્યા છે; તેમાં નય ને પ્રમાણ જ્ઞાનના ભેદ છે ને નિક્ષેપ શેયોનો ભેદ છે. તે બધાનું ફળ વીતરાગતા છે.
(૬૧) “સમ્યક પ્રકારે હેય-ઉપાદેય જાણવું સાધક છે, નિર્વિકલ્પ નિજરસ પીવો સાધ્ય છે.” વિકાર છોડવા જેવો છે ને સ્વભાવ ઉપાદેય છે. એવા હેય-ઉપાદેયને સમ્યકપણે જાણવું તે કારણ છે. વિકલ્પ વિનાના આનંદનો સ્વાદ લેવો તે તેનું ફળ છે.
(૬૨) “પરવસ્તુ વિરક્તતા સાધક છે, નિજવસ્તુ પ્રાપ્તિ સાધ્ય છે.” પર વસ્તુથી વિરક્તતા કરવી તે સાધક છે, પરવસ્તુ છોડવાની વાત નથી. પર વસ્તુનું નિમિત્તપણે છૂટયું કોને કહેવાય? અંતરમાં નિજવસ્તુ પ્રાપ્ત થઈ હોય તો પરવસ્તુનો ત્યાગ નિમિત્ત કહેવાય. લોકો કહે છે કે “નહાયા એકલું પુણ્ય,” પણ એમ છે જ નહિ. પરનો અભાવ ખરેખર કયારે કર્યો કહેવાય? નિજવસ્તુની પ્રાપ્તિ કરે તો; પણ તે ન કરે તો નિમિત્ત કહેવાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com