Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪]
[ શ્રી અનુભવ પ્રકાશ
ક્યો ધર્મ? પુણ્ય-પાપથી આત્માને જુદો માનવો તે વિવેક છે. વિવેકને સાધન બનાવી શાંતિ પામવી તેનું ફળ છે.
(
(૩૫) “ ધર્મધ્યાન સાધક છે ને શુક્લધ્યાન સાધ્ય છે.” આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે. તેની અનાકુળ શાંતિમાં એકાગ્રતા કરવી તે ધર્મધ્યાન છે. તે ધર્મધ્યાન પલટીને શુક્લધ્યાન થાય છે. સ્વભાવ શુદ્ધ ચિદાનંદ સિદ્ધસ્વરૂપી છે, તેની અંતર શ્રદ્ધા ને એકાગ્રતારૂપી ધર્મધ્યાન સાધન છે. તેના પરિણામમાં શુક્લધ્યાન થશે. તેના ફળમાં સ્વર્ગ કે દેવની વાત નથી. શુક્લધ્યાન એટલે ઘણી ઉજ્જવળતાની પ્રાપ્તિ થવી તે છે.
“શુક્લધ્યાન સાધક છે ને સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે.” શુક્લધ્યાન સાધક છે. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્રતાની ખૂબ ઉજ્જવળતા કરવી તે શુક્લધ્યાન છે. અહીં ક્ષપકશ્રેણીના શુક્લધ્યાનની વાત છે. શુક્લધ્યાનના ફળમાં મોક્ષ થાય છે.
""
(૩૭) “ વીતરાગભાવ સાધક છે ને કર્મ અબંધ સાધ્ય છે. રાગરહિત આત્માના પરિણામ સાધન છે અને કર્મનો અભાવ થવો તે ફળ છે. તીર્થંકરનામકર્મ બંધાય છે તે રાગના પરિણામથી બંધાય છે, પણ વીતરાગ પરિણામથી બંધાતું નથી.
22
(૩૮) “ સંવર સાધક છે ને નિર્જરા સાધ્ય છે. આત્મામાં વિકારનું રોકાઈ જવું ને સ્વભાવના આશ્રયે શુદ્ધદશાનું પ્રગટવું તે સંવર છે. સંવર કારણ છે ને શુદ્ધતાનો વધારો થાય છે તે તેનું ફળ છે. લોકો સંવર કહે છે તેની વાત નથી, પણ શરીર, મન, વાણીથી પાર આત્મા છે તેનું ભાન કરી અશુદ્ધ પર્યાયનું અટકવું ને શુદ્ધ પર્યાયનું થવું તે સંવર છે. તે સાધક છે, તેનાથી શુદ્ધતા વધે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે તે નિર્જરા છે.
(૩૯) “નિર્જરા સાધક છે ને મોક્ષ સાધ્ય છે.” આત્મામાં અકષાય પરિણામ થવા તે નિર્જરા છે, તેના ફળમાં મોક્ષ સાધ્ય છે. અકામ નિર્જરાના ફળમાં પુણ્ય બંધાય છે તેની વાત નથી, તે ધર્મનું કારણ નથી, રાગદ્વેષથી જે કર્મ બાંધતો હતો તે
Please inform us of any errors on [email protected]