Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬]
[ શ્રી અનુભવ પ્રકાશ ઓછાપણે થતો ને શ્રદ્ધા-ચારિત્રમાં વિપરીતપણે થતો હતો, તે બંધ હતો. તે મટીને ગુણમોક્ષ થયો.
અલ્પ દર્શનનો પર્યાય મટીને કેવળદર્શનરૂપે થયો, અલ્પ જ્ઞાનનો પર્યાય મટીને કેવળજ્ઞાનરૂપે થયો, ઊંધી શ્રદ્ધાનો પર્યાય મટીને પરમ અવગાઢ સમ્યગ્દર્શનરૂપ થયો, ઊંધા ચારિત્રનો પર્યાય મટીને પરમ યથાખ્યાત ચારિત્રરૂપ થયો, અલ્પ વીર્યપર્યાયનો વ્યય થઈને અનંત વીર્યરૂપ થયો.
આ પ્રમાણે અનંત ચતુષ્ટય પ્રગટયાં તે કેવળજ્ઞાનીની દશા થઈ. પછી કેવળી ભગવાનને ચાર કર્મો ટાળવાનો પ્રયત્ન કરવો પડતો નથી. ચારે અઘાતી કર્મો ટળી સિદ્ધદશા થાય છે એટલે દ્રવ્યમોક્ષ થાય છે. આવી રીતે ગુણમોક્ષ થતાં દ્રવ્યમોક્ષ થાય છે, સિદ્ધદશા પ્રગટે છે.
(૧૪) આત્મામાં સમ્યગ્દર્શન થયું છે, ત્યાર પછી ચારિત્ર દશા થઈ છે. ભાવલિંગી દશા થઈ છે, ત્યારપછી સ્વરૂપની દશા વધે છે ને રાગરહિત વિશેષ એકાગ્રતાની ધારા વધે છે. તેને ક્ષપકશ્રેણી કહે છે. ક્ષપકશ્રેણીવાળાને કેવળજ્ઞાન થાય જ. માટે ક્ષપક શ્રેણી સાધક છે ને તદ્દભવ મોક્ષ સાધ્ય છે.
(૧૫) “દ્રવ્યલિંગ ને ભાવિત સ્વરૂપભાવ સાધક છે ને સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે,” વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ વર્ણવ્યું છે. એવું માતાએ જન્યું એવું શરીર હોય ને અંતરથી ભાવિત સ્વરૂપભાવ હોય. એકલા નગ્ન હોય તેની વાત નથી. અંતરના ભાનવાળો હોય ને સ્વરૂપમાં અંતર શુદ્ધતા ઘણી વધી ગઈ હોય ને બાહ્યમાં નગ્નદશા હોય તેની વાત છે, આવો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. બાહ્યમાં નગ્નદશા ને અંતરમાં સ્વરૂપ રમણતા બને હોય તો કેવળજ્ઞાનની તૈયારીવાળો કહેવાય. કોઈ કહે કે અમને અંતરમાં વીતરાગતા છે પણ અમને વસ્ત્ર મૂર્છા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com