Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦]
[ શ્રી અનુભવ પ્રકાશ આવ્યા વિના રહે નહિ. શબ્દ સમજાય તો અર્થ સમજાય ને અર્થ સમજાય તો આત્માની મજા આવે. શાસ્ત્રના શબ્દોના અર્થ ન સમજે તેને મજા આવતી નથી. રેકર્ડ સારૂં ગાયન બોલે તોપણ રેકર્ડને કાંઈ મજા આવતી નથી, તેમ જેને શાસ્ત્રના અર્થ સમજવાનું જ્ઞાન નથી, શબ્દના અર્થ સમજતાં ન આવડે તેને રસ આવતો નથી. માટે દેવગુરુ-શાસ્ત્ર શું કહે છે તે શબ્દને તથા તેના અર્થને સમજવા જોઈએ. અહો ! આ જ્ઞાન અલૌકિક છે-એમ અંતરમાં સમજે તો મજા આવે. માટે અર્થ સાધક છે ને જ્ઞાનરસ સાધ્ય છે.
(૨૪) હવે સ્થિરતાને સાધક કહે છે. હું સ્વ-પરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી છું, પુણ્ય-પાપ હું નથી. એમ જ્ઞાનની મજા આવે તો સ્થિરતા આવે. તે સ્થિરતા થતાં ધ્યાન સાધ્ય થાય છે. સ્થિરતાથી ધ્યાન થાય છે. સમજ્યા વિના ધ્યાન કોનું કરશે? વસ્તુ શું છે, ગુણ શું છે, પર્યાય શું છે એમ જ્ઞાનની જમાવટ થતાં ને સ્થિરતા થતાં એકાગ્ર થાય છે. અજ્ઞાની જીવ સમજ્યા વિના લીલા-પીળા દેખે તે ધ્યાન નથી. જે શાસ્ત્ર સમજે નહિ તેને સ્થિરતા થાય નહિ ને તેને ધ્યાન થાય નહિ, માટે સ્વ-સંવેદનરૂપ સ્થિરતા સાધક છે ને ધ્યાન સાધ્ય છે.
પni
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com