Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૧૧, રવિ ૧૧-૧-૫૩
પ્ર. -૩s
(૨૫) આ સાધ્ય-સાધકનો અધિકાર છે. આત્મામાં આનંદનો અનુભવ થવો તે ધર્મ છે. જ્ઞાનાનંદ આત્મામાં એકાગ્રતા થવી તે ધ્યાન સાધન છે ને તેનાથી કર્મ ખરે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ રાગદ્વેષ વિનાનો છે. તે તરફ વલણ થતાં-એકાગ્ર થતાં ધ્યાન થાય છે. તેનું ફળ કર્મનું છૂટવું તે છે. માટે ધ્યાન સાધક છે ને કર્મ ખરવાં સાધ્ય છે.
(ર૬) આત્મામાંથી કર્મ ખરી જાય એટલે આત્મા મુક્તદશાને પામે તે તેનું ફળ છે. માટે કર્મ ખરવાં સાધક છે ને મોક્ષ થવો સાધ્ય
(૨૭) “રાગ-દ્વેષ-મોહનો અભાવ સાધક છે ને સંસાર અભાવ સાધ્ય છે.” આત્માની વર્તમાન અવસ્થા વિષે રાગ-દ્વેષ ને પરમાં સાવધાનીનો અભાવ કરવો સાધક છે. સ્વરૂપની એકાગ્રતા કરતાં મોહરાગ-દ્વેષનો અભાવ થાય છે, તેના ફળમાં સંસારના અભાવનું પરિણામ આવે છે, પણ પુણ્યફળની પ્રાપ્તિ હોતી નથી. આત્મા જ્ઞાનાનંદ છે, તેવી અંતર્મુખની દષ્ટિ વડે સંસારનો અભાવ થાય છે.
(૨૮) “ધર્મ સાધક છે, પરમપદ સાધ્ય છે.” લોકો ધર્મ કહે છે. તે ધર્મ શું છે? સ્વસમ્મુખતા દ્વારા આત્માની દશામાં પુણ્ય-પાપ વિકારનો અભાવ થવો તે ધર્મ છે. ચિદાનંદ સ્વભાવની રુચિ કરી તેમાં એકાગ્ર થવું તે સાધન છે; તેનાથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. ધર્મથી લક્ષ્મી મળતી નથી, જેટલા સંયોગોની પ્રાપ્તિ થાય તે ધર્મનું ફળ નથી પણ વિકારનું ફળ છે. ધર્મ કરતાં પરમપદની પ્રાપ્તિ થાય છે. શુભરાગ કાંઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com